6 ડિસેમ્બર 1992ના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિધ્વંસ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વીટર ઉપર કટાક્ષ કર્યો હતો.
તેણે બાબરી મસ્જિદ વિધ્વંસની વરસી નિમિત્તે કટાક્ષમાં લખ્યું હતું કે ગમે તેટલો દોષ છુપાવાનો પ્રયત્ન કરી લો, ભગવાનનું ઘર... કોઈ પણ ભગવાનનું ઘર તોડવું એક પાપ છે.
चाहे जितनी लीपा पोती कर लो, भगवान का घर.. किसी के भी भगवान का घर तोड़ना पाप होता है।🙏🏽 #babrimasjid
અગાઉ પણ સ્વરા ભાસ્કરે બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચાને તોડવાના CBIની વિશેષ અદાલતના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી હતી. કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં કહ્યું કે બાબરી ઢાંચાને તોડી પાડવું કોઈ કાવતરું નહોતું કે કોઈ નેતાએ કાર સેવકોને આમ કરવા માટે ઉશ્કેર્યા નહોતા. આ મુદ્દે સ્વરા ભાસ્કર કોર્ટના નિર્ણય પર વ્યંગ કર્યો હતો. સ્વરા ભાસ્કરે પોતાની ટ્વિટમાં લખ્યું કે, 'બાબરી મસ્જિદ પોતે પોતાની મેળે પડી ગઈ હતી.'
ઓવૈસીએ પણ વિધ્વંસની વરસી ઉપર કોમેન્ટ કરી
બીજી તરફ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ ડિસેમ્બર 6 ના રોજ વિધ્વંસની વરસી પર બાબરી મસ્જિદને યાદ કરી છે. તેમણે કહ્યું કે બાબરી 400 વર્ષોથી અયોધ્યામાં ઉભી હતી. આવનારી પેઢીઓ હંમેશ માટે આ અન્યાયને યાદ રાખશે અને શીખશે. આ ક્યારેય નહીં ભૂલી શકાય.