બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / ભાવનગરના સમાચાર / swami nirdoshanand manavseva hospital bhavnagar
Last Updated: 10:57 PM, 16 November 2019
ADVERTISEMENT
ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી થતી ઊઘાડી લૂંટ વચ્ચે આજે વાત કરવી છે એક એવી હોસ્પિટલ કે જ માનવને જ દેવ માનીને તેની સેવા સુશ્રૂષા કરે છે. જોઈએ આ માનવતાના જયકારનો આ અહેવાલ.
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ આવેલી છે. આમતો સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી સૌરાષ્ટમાં ભ્રમણ દરમિયાન આ વિસ્તારમાં એક નિઃશુલ્ક સારવાર માટે હોસ્પિટલ બનાવવાનું સ્વપ્નું ધરાવતા હતા અને તે સ્વપ્ન 15 વર્ષ પહેલા પૂર ઉઠ્યું હતું અહીં ટીમ્બી ગામે જયારે આ સંત આવ્યા ત્યારે તેમના શિષ્ય મનુબેન દ્વારા હોસ્પિટલના નિર્માણ માટે જમીન દાનમાં આપવામાં આવી હતી.
ADVERTISEMENT
9 જાન્યુઆરી 2011 માં 5 કરોડના ખર્ચે આકાર પામી હોસ્પિટલ
ત્યારથી જ અહીં આ હોસ્પિટલનું નિર્માણ થયું હતું આ આરોગ્યધામ 9 જાન્યુઆરી 2011 માં 5 કરોડના ખર્ચે બન્યું હતું. જેનો વિચાર 2005 માં શિવરાત્રિના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો હતો અને તેનો અમલ કરીને તેમને આ હોસ્પિટલ રૂપી માનવ સેવા હોસ્પિટલ બનાવીને ટ્રસ્ટને સોંપ્યું હતું. આ હોસ્પિટલમાં વિના મુલ્યે સારવાર અને ઓપરેશન થાય છે સર્જરી થાય છે.
મોટો ઓપરેશન કરાય છે નિ:શુલ્ક
પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે. ના ઓપરેશનો વિનામૂલ્યે થાય છે 24 કલાક ઈમરજન્સી સારવાર આપવામાં આવે છે અધ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ/ટ્રેડમિલ ટેસ્ટ]/હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ-ડીફ્રિબ્રીલેશ; મોનિટરિંગ વગેરેની સુવિધા.પણ ઉભી કરવામાં આવી છે
દેશભરમાંથી આવે છે દર્દીઓ
આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી એટલું જ નહીં અહીં ધર્મ/જ્ઞાતિ/જાતિના ભેદભાવ વગર સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે સારવાર કરવામાં આવે છે આ માનવસેવા. સારવાર મફત. દવાઓ મફત. જમવાનું મફત. ઓપરેશનનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી . આ હોસ્પિટલ ના સંચાલન માટે દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. અહીં હવે માત્ર ભાવનગર જિલ્લો જ નહીં પણ રાજય ના અનેક ભાગ માંથી લોકો સારવાર માટે આવે છે આ હોસ્પિટલ હવે સોસીયલ મીડિયા ના માધ્યમ થી નિઃશુલ્ક સેવાના કારણે દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રસિદ્ધ બન્યું છે.
સગર્ભા બહેનોને અપાય છે સુખડી અને શીરો
આ હોસ્પિટલ ની સાથે અહીં એક ગૌશાળા નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં રહેતી ગીર ગાયના દૂધ ને દર્દીઓ ને પીવા માટે આપવામાં આવે છે આ ઉપરાંત અહીં સગર્ભા બહેનોને સુખડી તેમજ સેરો પણ આપવામાં આવે છે અહીં દુઃખ ણ દર્દ લઇને આવેલા દર્દીઓ સજા થઈને હસતા મોઢે પોતાના ઘરે પરત ફરે છે આથી દર્દીઓ પણ આ માનવ સેવાથી ખુશ છે.
ગુજરાતની ઓળખાણ બની હોસ્પિટલ
સામાન્ય રીતે સંતો- મહંતો કે અન્ય લોકો પોતાની વાહ વાહ મેળવા કાર્યક્રમો કરતા હૂઈ છે અને સુવિધા ઉભી કરતા હોઈ છે પરંતુ નિર્દોષાનંદજી સ્વામી એ નામ મેળવવા નહીં પરંતુ ગરીબ દરિયોના સધિયારા બનાવ માટે આ હોસ્પિટલ ઉભી કરી છે જે ગુજરાત માટે વિના મુલ્યે સેવા આપતી હોસ્પિટલ માટે ઘરેણું છે તેમ કહી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.