તૃણમૂલ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદથી જ શુભેંદુ અધિકારી આક્રમક વલણ અપનાવી રહ્યા છે. ભાજપમાં સામેલ થયેલા શુભેંદુ અધિકારીએ કહ્યું કે તેઓને શરમ આવે છે કે તેઓએ 21 વર્ષ ટીએમસીમાં સમય પસાર કર્યો. અધિકારીએ ટીએમસી પાર્ટીમાં અનુશાસનની ખામી હોવાનો દાવો કર્યો અને કહ્યું કે પ.બંગાળને પીએમ મોદીના હાથમાં સોંપવાનું રહેશે.
શુભેંદુ અધિકારીનું આક્રમક વલણ
શુભેંદુ અધિકારીએ ટીએમસી માટે કહી આ વાત
શરમ આવે છે કે 21 વર્ષ ટીએમસીમાં સમય પસાર કર્યો
ભાજપ ઓફિસમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા અધિકારીએ કહ્યું કે જે રાજકીય પાર્ટીમાં હું પહેલાં જોડાયો હતો ત્યાં અનુસાસન ન હતું. તે પાર્ટીથી કંપની બની ગઈ છે. મને શરમ આવે છે કે હું તે પાર્ટી સાથે 21 વર્ષ સુધી જોડાયેલો રહ્યો.
2021માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તામાં આવે તે માટે કરીશું કામ
તેઓએ તુલના કરતાં કહ્યું કે ટીએમસીની કોંગ્રેસમાં પારિત થનારા પ્રસ્તાવનો રેકોર્ડ પણ નથી. અધિકારીએ કહ્યું કે આપણે મળીને કામ કરીશું જેથી રાજ્યમાં 2021માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તામાં આવે અને પશ્ચિમ બંગાળ સોનાર બાંગ્લા બને. પશ્ચિમ બંગાળને સક્ષમ નેતા મોદીના હાથમાં સોંપવું પડશે.
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ઉલ્લેખ કરતાં અધિકારીએ કહ્યું કે અનેક રાજ્યોના ખેડૂતોને લાભ આપવા આ યોજનાનો ફાયદો લીધો છે. પણ પશ્ચિમ બંગાળ સરકારે તેની મનાઈ કરી અને સાથે લાભને વંચિત કર્યો છે. જરૂરી છે કે દેશમાં શાસન કરી રહેલી પાર્ટી અહીં પણ સત્તામાં આવે.