સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં હવે ગૌરવ દહિયા પર વધુ સકંજો કસાયો છે. પ્રેમ પ્રકરણ મામલામાં દિલ્લીની પીડિત મહિલા અમદાવાદ પહોંચી છે. જે તેની દીકરીના અધિકારને લઇ સીએમ રૂપાણી અને મહિલા આયોગ સાથે મુલાકાત કરશે.
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલામાં દિલ્લીની પીડિત મહિલા અમદાવાદ પહોંચી છે. ત્યારે આ દરમિયાન તેણે VTV સાથે એક્સક્લુઝીવ વાત કરી હતી. પીડિત મહિલાએ જણાવ્યું કે, મને મારી દીકરીના અધિકાર જોઇએ છે. હું સીએમ સાથે અને મહિલા આયોગ સાથે મુલાકાત કરીશ. મારી દીકરીના બાયલોજીકલ પિતાના રાઇટ્સ આપવામાં આવે. મારી દીકરીનો અને તેના પિતાનો DNA ટેસ્ટ કરાવવામાં આવે.
જ્યારે સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં ગૌરવ દહિયા સામે ખાતાકિય તપાસ કરાશે. ગૌરવ દહિયાના આર્થિક વ્યવહારની તપાસ કરાશે જે માટે રાજ્ય સરકાર દ્વારા અધિકારીની નિમણૂક પણ કરવામાં આવશે. તપાસ અધિકારી તરીકે નિવૃત્ત અધિકારીની નિમણૂક થઇ શકે છે. પીડિતાની ફરિયાદના આધારે ખાતાકિય તપાસ કરશે અને જ્યાં જ્યાં ગૌરવ દહિયાએ ફરજ બજાવી છે તે વિભોગાના આર્થિક વ્યવહારની તપાસ કરાશે.
શું છે કથિત પ્રેમપ્રકરણ કેસ
ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયાએ ફેસબુકમાં બનેલી એક ફ્રેન્ડ દિલ્હીની લીનું સિંઘ સાથે એક પત્ની હોવા છતાં બીજી પત્ની તરીકે લગ્ન કર્યા હતા. પ્રેમપ્રકરણમાં અચાનક કોઈ તકલીફ પડતાં બંને એકબીજા વિરૂદ્ધ ગુજરાત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 2017માં ગૌરવ અને લિનુંને ફેસબુકમાં પ્રેમ થયો હતો અને પછી લગ્ન કર્યા હતા.
પ્રેમપ્રકરણનો કેસ હાઈપ્રોફાઈલ અને બહુચર્ચિત હોવાથી પોલીસે આ કેસ અંગે સીએમ રૂપાણીને જાણ કરી હતી. ત્યારબાદ રૂપાણીના આદેશથી ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં 3 મહિલા IASની એક તપાસ કમિટીની રચના થઈ હતી જેમાં લિનું સિંઘે પોતાના નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તપાસ કમિટીએ પણ ગૌરવને આરોપી સાબિત કર્યો હતો. મહિલા IAS સુનયના તોમરે રૂપાણીને આ અંગે રિપોર્ટ સોપ્યો હતો. જ્યારે ત્યારબાદ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.