સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને બધાંને હચમચાવી દીધા છે. પટનાથી આવેલો 34 વર્ષનો સુશાંત છેલ્લા ઘણાં સમયથી પરેશાન હતો અને ડિપ્રેશનનો ઈલાજ કરાવી રહ્યો હતો. ત્યારે હવે નવી રિપોર્ટ્સ પ્રમાણે તેની બહેનને ખબર હતી કે તે ડિપ્રેશનથી પીડિત હતો.
સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને બધાંને હચમચાવી દીધા
હવે તેની બહેનનું નિવેદન સામે આવ્યું
બહેને કહ્યું તેને આર્થિક રીતે કોઈ પરેશાની નહોતી
સુશાંતના મોતની ગુત્થી ઉકેલવા માટે મુંબઈ પોલીસ લાગી ગઈ છે. પોલીસે સુશાંતની બહેન સાથે વાત કરી. જેમાં કેટલીક ખાસ વાતો જાણવા મળી છે. તેના બહેન પોલીસને જણાવ્યું કે સુશાંતને આર્થિક રીતે કોઈ પરેશાની નહોતી. આર્થિક રીતે બધું બરાબર હતું. પણ ગયા અઠવાડિયાથી સુશાંતને ઠીક નહોતું લાગી રહ્યું.
બહેને જણાવ્યું કે, તે સુશાંતને મળવા તેના બાન્દ્રાવાળા ફ્લેટ પર ગઈ હતી. ડિપ્રેશનમાં હોવાની વાત તેની બહેન જાણતી હતી પણ કે આટલું મોટું અને ભયાનક પગલું ભરી લેશે એવો સપનેય ખ્યાલ નહોતો. જ્યારે સૂત્રો મુજબ સુશાંતે થોડાં દિવસથી તેની ડિપ્રેશનની દવા લેવાનું બંધ કરી દીધું હતું. તે ક્લિનિકલ ડિપ્રેશનનો શિકાર હતો. જોકે, પોલીસે હજી આ વાતની પુષ્ટિ કરી નથી.
સુશાંતના મેનેજરને તેના ફોનનો પાસવર્ડ ખબર હતી. જેની મદદથી પોલીસને જાણકારી મળી કે, તેણે છેલ્લે તેના મિત્ર કૃષ્ણા શેટ્ટીને કોલ કર્યો હતો. ત્યારબાદ તેણે તેની બહેનને ફોન કર્યો હતો અને થોડીવાર તેની સાથે વાત કરી હતી. જોકે, મહેશે પછી સુશાંતને કોલબેક કર્યો હતો પણ ત્યાં સુધી તેણે આત્મહત્યા કરી લીધી હતી અને તેણે ફોન ઉપાડ્યો નહીં. હવે પોલીસ સુશાંતના ફોનને રેકોર્ડ્સ ચેક કરી રહી છે અને તેના મિત્રો અને પરિવારજનોથી પૂછપરછ કરી રહી છે.