જાણીતા ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું કોકડું દિવસેને દિવસે ગુંચવાતું જાય છે. હવે તો આ આત્મહત્યા કેસની તપાસ CBI કરી રહી છે. ત્યારે આજે સુશાંતના પિતાના વકીલે જણાવ્યું હતું કે, સુશાંતસિંહના મોત મામલે કોઇ પુસ્તક કે ફિલ્મ તેના પિતાની મંજૂરી વગર નહીં બનાવી શકાય.
ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલો
એડવોકેટ વિકાસસિંહે યોજી પ્રેસ કોન્ફરન્સ
ફિલ્મ, સિરિયલ અથવા પુસ્તક સંમતિ વગર બનાવનાર સામે થશે કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહ રાજપૂતના પરિવારના એડવોકેટ વિકાસસિંહે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ઘણી મોટી વાતો કહી હતી. સુશાંતના પિતાના વકીલએ કહ્યું- જો કોઈ ફિલ્મ, સિરિયલ અથવા પુસ્તક સુશાંતના પિતાની સંમતિ વગર બનાવવામાં આવશે તો તે તેના પર કડક કાર્યવાહી કરશે.
ખોટા સમાચાર ચલાવશો તો પણ અમે કાર્યવાહી કરીશું
આ સાથે જ સુશાંતના પિતાના વકીલે વધુમાં કહ્યું હતું કે, જો આજે પછી ચેનલો કોઇ ખોટા સમાચાર ચલાવશો તો પણ અમે કાર્યવાહી કરીશું.
સુશાંતને કોઇ જીવન વીમો નહોતો
વિકાસસિંહે કહ્યું કે, સુશાંતની જીવન વીમા પોલિસી નહોતી. કેટલાક લોકો કહે છે કે જો સુશાંતના મોતને આત્મહત્યા તરીકે દર્શાવવામાં આવે તો પરિવારને પૈસા નહીં મળે, તેથી આખી કહાની બદલવામાં આવી. આપને જણાવી દઈએ કે જીવન વીમા પોલિસી અંગે જૂઠ્ઠાણા ફેલાઈ રહ્યા છે. જો કોઈ સુશાંતને લગતા ખોટા સમાચાર ફેલાવશે તો અમે કાર્યવાહી કરીશું.
સુશાંતના પિતાનું નિવેદન
સુશાંત કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. સુશાંત ના પિતા કે.કે. સિંહે મુંબઈ પોલીસને આપેલા નિવેદન અનુસાર, 14 જૂન પહેલા સુશાંત સિંહની તબિયત સારી ન હતી. તેમણે જણાવ્યું હતું કે 7 જૂને તેમની અને સુશાંતની વાતચીત થઈ હતી.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં કે.કે. સિંહનું મુંબઈ પોલીસને આપેલું નિવેદન બહાર આવ્યું છે જે મુજબ 14 જૂન પહેલા સુશાંત સિંહની તબિયત સારી નહોતી. તેમણે કહ્યું કે 7 જૂને તેમની અને સુશાંતની વાત થઈ હતી. કે.કે. સિંહે પોતાના નિવેદનમાં કહેલું કે બની શકે કે સુશાંતે આત્મહત્યા કરી હોય!, જો કે મુંબઈ પોલીસને આપેલ નિવેદનમાં તેમણે રિયા ચક્રવર્તીનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.
દાદા સાહેબ ફાળકે ઍવોર્ડથી કરાશે સન્માનિત
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત બાદ તેમના માટે ન્યાય માંગનારની સંખ્યામાં વધારો થઇ ગયો છે. સુશાંત હવે આપણી વચ્ચે નથી પરંતુ આપણા દિલમાં તે હંમેશા રહેશે. બાળકોથી લઇને વૃદ્ધો સુધી બધા જ લોકો ઇચ્છે છે કે સુશાંતને ન્યાય મળે. અભિનેતાને માન આપવા માટે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.