Surya Guru Yuti In Mesh Rashi 2023 : ગ્રહોના દેવ સૂર્ય દેવ 14 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરશે અને 22 એપ્રિલે દેવગુરૂ બૃહસ્પતિ પણ આ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. એવામાં સૂર્ય અને ગુરૂની યુતિથી અમુક રાશિઓના જીવનમાં શુભ અસર જોવા મળશે.
14 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરશે સૂર્ય દેવ
સૂર્ય અને ગુરૂની યુતિથી આ રાશિઓને થશે ફાયદો
12 વર્ષ બાદ બની રહી છે 2 ગ્રહોની ખાસ યુતી
વૈદિક શાસ્ત્રોના અનુસાર દરેક ગ્રહ-નક્ષત્ર એક નિશ્ચિત સમય માટે દરેક રાશિમાં ગોચર કરે છે. જેને આ ગ્રહોનું રાશિ પરિવર્તન કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ગ્રહોના રાશિ પરિવર્તન દરેકને પ્રભાવિત કરે છે. જેનાથી જાવનમાં સકારાત્મક અને નકારાત્મક બન્ને અસર જોવા મળે છે.
આ રીતે ગ્રહોના દેવ સૂર્ય દેવ 14 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરશે અને 22 એપ્રિલ દેવગુરૂ બૃહસ્પતિ પણ આ રાશિમાં ગોચર કરવાના છે. એવામાં સૂર્ય અને ગુરૂની યુતિ અમુક રાશિઓના જીવનમાં શુભ અસર કરી શકે છે. આવો જાણીએ કે તે સમયે કઈ રાશીઓને શુભ ફળોની પ્રાપ્તિ થશે.
સૂર્ય-ગુરૂની યુતિથી આ રાશિઓને મળશે લાભ
મેષ
સૂર્ય-ગુરૂના મેષ રાશિમાં ગોચરથી મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમય આવશે. આ સમયે તમને બિઝનેસમાં સારો લાભ પ્રાપ્ત થશે. તેની સાથે જ તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
પરિવારના લોકોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. નોકરીયાતની આવકમાં વૃદ્ધિ થશે. સાથે જ નોકરીના નવા અવસર પણ પ્રાપ્ત થશે.
મિથુન રાશિ
સૂર્ય ગુરૂની યુતિથી મિથુન રાશિના જાતકોને ખાસ શુભ ફળ પ્રાપ્ત થશે. આ સમયે તમારી આવકમાં વધારો થશે. જો તમે નવો વ્યાપાર શરૂ કરવા માંગો છો તો સમય અનુકૂળ છે. આ સમયે તમને નોકરીના નવા અવસર પણ પ્રાપ્ત થશે.
સૂર્ય-ગુરૂની યુતિથી તમારૂ કરિયર સાતમાં આસમાને હશે. મિથુન રાશિના લોકોને શિક્ષામાં અપાર સફળતા પ્રાપ્ત થસે. સાથે જ ધનની અપાર પ્રાપ્તિ થશે.
તુલા
22 એપ્રિલે સૂર્ય-ગુરૂની યુતિથી તુલા રાશિના લોકોને પણ શુભ પરિણામોની પ્રાપ્તિ થશે. તુલા રાશિના લોકોને લાંબા સમયથી અટકેલા કામ પુરા થઈ જશે.
વ્યાપારમાં ધન લાભના સારા શુભ સંયોગ બની રહ્યા છે. જો તમે વ્યાપારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય સૌથી સારો છે.