મધ્યપ્રદેશના દતિયા જિલ્લાથી 17 કિલોમીટર દૂર ઉન્નાવના બાલાજી સૂર્ય મંદિર સ્થાપિત છે જેને બહ્મન્ય દેવના નામથી ઓળખવામાં આવે છે. પહુજ નદીની નજીક આકર્ષક પહાડીઓની વચ્ચે સ્થિત આ સૂર્ય મંદિર પર સૂર્યોદયનું પહેલું કિરણ સીધા પરિસરના ગર્ભગૃહમાં સ્થિત પ્રતિમા પર પડે છે. પૌરાણિક કથા અનુસાર મુલાતાનનું સૂર્ય મંદિર અને આ મંદિર બંને ગુર્જર કુષાણ વંશીય મહારાડા ધિરાજ શ્રીમાન કનિષ્કના સમયથી છે. મંદિરની વિશેષતા એવી છે કે અહીંયા પાણી નહીં પરંતુ ઘી ના કુવા ભરેલા છે એ પણ એક બે નહીં 9 કુવા ઘી થી ભરેલા છે.
લોક માન્યતા છે કે છેલ્લા 50 વર્ષોમાં અહીંયા આવનારા શ્રદ્ધાળુઓ દ્વારા અહીંયા એટલું ઘી ચઢાવવામાં આવ્યું છે કે આ ઘી ને રાખવા માટે 9 કૂવા બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે આ મંદિરમાં આ ઘી ચઢાવવાની પરંપરા આશરે 400 વર્ષ પહેલા થઇ હતી. અહીંયા ઉત્તરાયણ વસંત પંચમી રંગ પંચમી અને ડોલ ગ્યારસ પર ખૂબ પ્રમાણમાં શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે. દરેક પ્રસંગે ભક્ત 10 ક્વિન્ટલથી વધારે ઘી ચઢાવી જાય છે.
માન્યતા છે કે ઘી ચઢાવવામાં કોઇ પણ પ્રકારના ગોટાળા કરવા પર એમને શ્રાપ લાગે છે અને ચામડીના રોગ જેવી બિમારીઓ થઇ જાય છે.
ઉન્નાવ સ્થિત બાલાજી સૂર્ય મંદિરમાં પ્રતિદિન અખંજ જ્યોતિ માટે આઠ કિલો ઘીનો ઉપયોગ થાય છ જ્યારે એક દિવસમાં 17 કિલોથી વધારે ઘી ચઢાવવામાં આવે છે.
અસાધ્ય રોગથી પીડિત વ્યક્તિને બાલાજી મંદિરમાં સૂર્ય દેવની પ્રતિમા પર પાણી ચઢાવવાથી મળે છે રોગોથી મુક્તિ અને નિ: સંતાન દંપતીઓને મળે છે સંતાન સુખ. આ પ્રસિદ્ધ બાલાજી મંદિર નજીક એક પવિત્ર જળ કુંડ છે. કહેવામાં આવે છે આ પાણીમાં સ્નાન કરવાથી તમામ દુખ દર્દ દૂર થઇ જાય છે. નિ:સંતાન દંપતીઓને સંતાન સુખ મળે છે. ભગવાનના દર્શન કરવાથી સંતાન સુખ પ્રાપ્તિ થાય છે.