સુરતમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. ભેંસાણ રોડ પરના ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઇ હતી. આગ લાગવાનું હજુ જાણી શકાયુ નથી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરતમાં આગના બનાવો અવારનવાર બનતા રહે છે ત્યારે ઘટનાસ્થળની આજુબાજુ રહેતા લોકોના જીવ પણ તાળવે ચોંટી જતા હોય છે.આજરોજ સુરતના ભેંસાણ રોડ પર આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આગ અંગેની જાણ નજીકના પોલીસ મથકે કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.જો કે ભંગારનો ઘણો ખરો હિસ્સો બળીને ખાખ થઇ ગયો હતો.