સુરતના યુવકને લૂંટરી દુલ્હને શિકાર બનાવી મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 13 દિવસમાં રોકડ અને દાગીના તથા કપડાં લઈને યુવતી ભાગી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
સુરતનો યુવક બન્યો લૂંટરી દુલ્હનનો શિકાર
લગ્નના 13 દિવસ બાદ દુલ્હન રફુચક્કર
રોકડ અને દાગીના લઇ ગાયબ
સુરતના વરાછા વિસ્તારમાં એક યુવકને દલાલોએ ફસાવીએ વલસાડમાં યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના થોડા દિવસોમાં મહિલા ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દલાલી કરાવનાર બે આરોપી અને લુટેરી દુલ્હનની ધરપકડ કરી છે.
લૂંટેરી દુલ્હને અનેકને છેતર્યા
સુરતના લાભેશ્વર વિસ્તાર ફરસાણની દુકાન ચલાવતા ગૌતમ ધનેશા લગ્ન માટે પાત્રની શોધમાં હતા. આ દરમ્યાન દલાલે પોતાના ધ્યાનમાં એક પાત્ર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ દલાલ દ્વારા વધુ એક દલાલનો સંપર્ક કરી યુવાનના વલસાડ લગ્નનું નક્કી કરવામાં આવ્યું હતું. આ લગ્ન વખતે અઢી લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. તથા 40 જોડી કપડા અને દાગીના આપ્યા હતા. લગ્ન બાદ યુવતી થોડા જ દિવસો માટે ગૌતમના ઘરે રોકાય હતી. બાદમાં પીયર તેમના માતા ઘરે ફેરો કરવા લઈ ગયા હતા. આ દરમિયાન લંબો સમય વીતવા છતાં પણ પત્ની પરત ન આવતા ગૌતમ અને તેનો પરિવાર વલસાડ ગયા હતા અને જયા તપાસ દરમિયાન ગૌતમના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી જાય તેવી હકીકત જાણવા મળી હતી. આ ટોળકીએ ઘણા લોકોને લોકોને ફસાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ છેતરપીંડીનો ભોગ બન્યાનું ભાન થતા અને ગૌતમએ પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેરની અંદર લૂંટીની દુલ્હનના કિસ્સા
પોલીસે બાતમીના આધારે હિતેશ ઉર્ફે રસિકભાઈ કાપડિયા અને ઘુઘાભાઇ ઉર્ફે દિનેશભાઈ કથડભાઈ કાછડને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને આરોપીઓએ જે મહિલા સાથે ગૌતમના લગ્ન કરાવ્યા હતા. તે ભીવંડી વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે સુરત શહેરની અંદર લૂંટીની દુલ્હનના કિસ્સા ધીરે ધીરે વધી રહ્યા છે અને જેમ લોકોને ખબર પડે તેમ એક પછી એક પોલીસ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે કારણ કે કેટલાક લોકોને લગ્ન થતાં ન હોવાથી જલ્દી છોકરીઓને પરિવાર તેમને જાણ્યા વગર લગ્ન કરી દેતા હોય છે અને બાદમાં ભોગવવાનો વારો આવતો હોય છે.