સુરત જિલ્લાના માંડવીના ખંજરોલી ગામના પાટીદાર આગેવાન ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલે પોતાની જ ક્વોરીમાં આપઘાત કર્યો હતો. ત્યારે હવે આ આત્મહત્યા પ્રકરણમાં રાંદેર પોલીસનું કનેકશન સામે આવ્યું છે. જેમાં ક્વોરી માલિક દુર્લભભાઇને પોતાની જમીનને લઇને રાંદેર પોલીસ મથકના પી.આઇ. સહિત અન્ય પોલીસકર્મી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર થોડા સમય પહેલાથી 6 મહિનાથી માનસિક તણાવમાં આવી જતા પાટીદાર આગેવાને અંતિમ પગલું ભરી લીધું હતું.
સુરત સ્ટોન ક્વોરી માલિકના આપઘાતનો મામલો
રાંદેર પોલીસ સ્ટેશનના PI સહિત 11 સામે ફરિયાદ
સુરતના કરોડપતિ સ્ટોન ક્વોરીના માલિકના આપઘાતના મામલે રાંદેર પોલીસ સ્ટેશનના PI સહિત 11 સામે ફરિયાદ નોંધાઇ છે. PI લક્ષ્મણસિંહ બોડાણા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ સ્ટેશન રાઇટર સામે પણ ફરિયાદ દાખલ કરાઇ છે. અડાજણ જમીન વિવાદને લઇ દુર્લભ પટલે આપઘાત કર્યો હતો.સ્યુસાઇડ નોટમાં પોલીસ સહિત અનેક લોકોના નામ છે.
માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલે માંડવીના ખંજરોલી ગામે પોતાની જ ખીણમાં કુદી આત્મહત્યા કરી હતી. અડાજણમાં જમીનના સોદામાં રાંદેર પોલીસ સ્ટેશનના PI તેમજ પોલીસ સ્ટાફ સહિત કેટલાક ભૂમાફિયાઓ તેમને ધમકી આપતા હતા.
આ 11 લોકો સામે નોંધાયો ગુનો
લક્ષ્મણસિંહ બોડાણા (PI),
કિરણસિંહ (રાઈટર),
રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા),
હેતલ દેસાઈ (વેસુ),
ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ),
કનૈયાલાલ નરોલા (કતારગામ),
કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા),
વિજય શિંદે,
મુકેશ કુલકર્ણી,
અજય બોપાલા,
રાંદેર પોલીસનો અન્ય સ્ટાફ
શહેરમાં આવેલ રાંદેર વિસ્તારમાં ખાતેની એક સોસાયટીમાં રહેલા દુર્લભભાઇ પટેલની સુરતના માંડવીના ખંજરોલી ગામે ક્વોરી આવેલી છે. ખંજરોલી ગામેથી માંડવી ક્વોરી જવાનું કહીને નીકળેલા દુર્લભભાઇ ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જો કે આ સમય દરમિયાન ક્વોરી નજીક ખાણ પાસેથી તેમના ચંપલ, મોબાઇલ મળી આવ્યાં.
જો કે તેમની જ ક્વોરીની ખાણમાંથી દુર્લભ ભાઇ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ માન્યુ હતું. જો કે પોલીસના ધમાધમાટ વચ્ચે તેમની ઓફીસમાં શોધખોળ કરતાં એક ચિઠ્ઠી મળી આવી હતી.