એક રેલવે સ્ટેશન એવું કે જે અડધુ ગુજરાતમાં છે અને અડધુ મહારાષ્ટ્રમાં પશ્વિમ રેલવેની સુરત-ભુસાવલ લાઇન પર નવાપુર રેલવે સ્ટેશન છે. જે બે રાજ્યમાં વહેંચાયેલું છે. નવાપુર રેલ્વે સ્ટેશનનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં આવે છે અને અડધો ગુજરાતમાં આવે છે. આ અંગે ખુદ દેશના રેલવે મિનિસ્ટર પિયુષ ગોયલે ટ્વીટર પર પોસ્ટ કરી હતી.
ગુજરાતના અને મહારાષ્ટ્રાના ભાગલા પહેલાનું છે રેલવે સ્ટેશન
નવાપુરામાં ગુજરાતી, મરાઠી, અંગ્રેજી અને હિન્દીમાં મુકાય છે સુચનાઓ
રેલમંત્રીએ શું કરી ટ્વીટ
રેલ મિનિસ્ટર પિયુષ ગોયલે પણ ટ્વીટ કરીને નવાપુરા રેલવે સ્ટેશનની માહિતા આપી હતી તેમણે ટ્વીટર પર આ રેલવેસ્ટેશનનો ફોટો મૂક્યો અને કેપ્શન લખ્યુ કે, શું તમે જાણો છો કે દેશમાં એક રેલવે સ્ટેશન છે જે બે રાજ્યોનું છે? સુરત-ભુસાવલ લાઇન પર નવાપુર એક એવું જ સ્ટેશન છે, જ્યાં બે રાજ્યોની સીમા સ્ટેશનોની વચ્ચે આવેલી છે. તો આ સ્ટેશનનો અડધો ભાગ ગુજરાતમાં છે અને બાકીનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં છે.
#KyaAapJanteHai देश में एक रेलवे स्टेशन ऐसा भी है जो दो राज्यों में स्थित है?
सूरत-भुसावल लाइन पर नवापुर एक ऐसा स्टेशन है, जहां स्टेशन के बीचो-बीच दो राज्यों की सीमाएं लगती हैं। इसलिये इस स्टेशन का आधा भाग गुजरात में, तो शेष आधा महाराष्ट्र मे है। pic.twitter.com/FKSdsjvUOR
રેલવેના મુસાફરોને બે રાજ્યોમાં વહેંચાયેલા નવાપુર રેલ્વે સ્ટેશન પર ચાર વિવિધ ભાષાઓમાં કોઈ પણ માહિતી આપવામાં આવે છે. અહીં બધી જ જાહેરાતો હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં થાય છે, જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોથી આવતા મુસાફરો તેને સરળતાથી સમજી શકે.
નવાપુર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતનું વિભાજન નહોતું. તે સમયે નવાપુર સ્ટેશન યુનાઇટેડ મુંબઈ પ્રાંત હેઠળ હતું. જ્યારે મુંબઈ પ્રાંતનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે નવાપુર સ્ટેશનને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોમાં વહેંચવામાં આવ્યું. ત્યારથી આ સ્ટેશનની પોતાની અલગ ઓળખ છે.
એક જ સ્ટેશન પર કાયદા પણ અલગ
આ રેલ્વે સ્ટેશન વિશે સૌથી અલૌકિક બાબત એ છે કે બંનેની હદમાં અલગ-અલગ કાયદા લાગુ પડે છે. હા, ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે, તો મહારાષ્ટ્રના પાન મસાલા અને ગુટખા પર. સ્ટેશનના ગુજરાત ભાગમાં ગુટખાનું વેચાણ ગુનો નથી, પરંતુ જો કોઈ આકસ્મિક રીતે તેનું વેચાણ કરીને મહારાષ્ટ્ર બોર્ડર પર જાય છે, તો તે ગુનેગાર બની જાય છે.
મહારાષ્ટ્રમાં દારૂ પર છૂટ, ગુજરાતમાં ગુટખા પર છૂટ
તેવી રીતે મહારાષ્ટ્રમાં દારૂ અને બીયરનું વેચાણ થઇ શકે છે. પરંતુ ગુજરાતમાં પ્રતિબંધ છે. જો ગુજરાતવાળા હિસ્સામાં કોઇ વેચાણ કરતો ઝડપાય તો તેની સામે કાયદેસરના પગલા લેવામાં આવે છે. ક્યારેક તો એવું પણ બને છે કે, રાજ્યની હદમાં ગુનો કરીને ગુનેગાર અન્ય રાજ્યના હદમાં પ્રવેશી જાય છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યના બોર્ડર પર નવાપુર રેલ્વે સ્ટેશન બે રાજ્યની સીમા ઉપર આવે છે. પુર્વ દિશામાં મહારાષ્ટ્ર આવેલું છે અને પશ્ચિમ દિશામાં ગુજરાત આવ્યું છે. રેલ્વે સ્ટેશની વિશેષ બાબત એ છે કે ટિકિટ લેનાર મહારાષ્ટ્રમાં બેસે છે અને સ્ટેશન માસ્તરની કેબિન ગુજરાતમાં આવેલી છે.