કોરોના વાયરસને કારણે વિશ્વ આખુ ઘુંટણી પડી ગયુ છે ત્યારે સુરતમાં સાસંદ સીઆર પાટીલે લોકડાઉનને કારણે ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને માદરે વતન પરત મોકલવાની તજવીજ હાથ ધરી છે જેને પરિણામે રજિસ્ટ્રેશ માટે લોકોએ સવારથી જ લાંબી લાઈનો લગાવી હતી.
સુરત પરપ્રાંત જવા માટે લોકોને મળશે પરવાનગી
મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા ફોર્મ ભરવા
માદરે વતન જવા લોકો સવારથી ઉમટી પડ્યા, 1 કિ.મી થી વધુ લાંબી લાગી લાઈનો
કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે સુરતમાં પરપ્રાંત જવા માટે લોકોને પરવાનગી મળી છે. મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. માદરે વતન જવા માટે લોકો ઉમટી પડ્યા છે. લોકોની 1 કિમીથી વધુ લાંબી લાઈનો લાગી છે. તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 25, 2020
સુરત શહેરના ગ્રીન ઝોનમાં આજથી દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નાની દુકાન ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે. શહેરના આઠવા વિસ્તારમાં સવારથી દુકાનો ખુલ્લી જોવા મળી છે. રવિવાર હોવાથી આજે ઓછી દુકાન ખુલ્લી છે.. જોકે સોમવારથી અવર-જવર વધે તેવી શક્યતા છે.
કોરનાથી 15ના મોત
સુરતમાં 496 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલે 34 નવા કેસ નોંધાયા હતા. 16 લોકો સાજા થયા છે જ્યારે 15 લોકોના કોરોનાથી મોત થયા છે.