સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક TRB જવાનની દાદાગીરી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક જવાને રસ્તા વચ્ચે એક પરિવારને માર માર્યો છે.
પરિવાર પાસે લાઈસન્સ સહિતના પોતાની ગાડીના દસ્તાવેજ હોવા છતાં ટ્રાફિક જવાને દાદાગીરી કરી અને પરિવાર સાથે હાથાપાઈ કરી.
જેમાં પરિવારના એક સભ્યને ગળાના ભાગે ઈજા પણ પહોંચી હતી. જોકે આ પ્રકારની દાદાગીરીને જોતા જ લોકો ભેગા થઈ ગયા હતા અને રસ્તો જામ કરી દીધો હતો.
તો આ પરિવાર પણ ન્યાય માટે રસ્તા વચ્ચે જ ધરણા પર બેસી ગયો હતો. જોકે ઘટના અંગે જાણ થતા જ ઉચ્ચે અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલાને થાળે પાડતા રસ્તો ફરી ખુલ્લો કર્યો હતો.