સરથાણામાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યાને હજુ મહિનો પણ નથી વિત્યો ત્યારે સુરતની પ્રેમભારતી સાંકેલી વિદ્યાલયમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
સુરતના દાંડી રોડ ખાતે આવેલી પ્રેમભારતી સાંકેત હિન્દી વિદ્યાલયમાં આજે સ્કૂલ શરૂ થાય તે પહેલાં અચાનક એક ક્લાસ રૂમમાં આગ લાગી ગઈ હતી. ત્યારે ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી.
આગના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. તો સ્કૂલ ખાતે ફાયર ઓફિસરે તપાસ કરતા પૂરતી ફાયર સેફ્ટી મલી નથી અને સ્કૂલ પાસે પાલિકાનું એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી ફાયર વિભાગ દ્વારા સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યું છે.