સરકારી કચેરીઓ જ સરકારી વેરા ભરતી નથી. વારંવારની નોટીસ છતાં સરકારી કચેરીઓના મ્યુનિસિપલ ટેક્સ બાકીના બાકી જ હોય છે. સુરત મનપાએ આ વખતે ટેક્સ ન ભરનાર સામે લાલ આંખ કરી છે જેમાં ખુદ BSNL ટેલિફોન એક્સચેન્જની કચેરી સીલ કરવામાં આવી છે કારણ કે છેલ્લા 3 વર્ષનો કરવેરો કચેરીએ ભર્યો નથી.
સુરતમાં તંત્ર દ્વારા વેરા વસૂલાતની કામગીરી કરાઈ શરૂ.
વેરો ન ભરનારના એકમો કરાયા સીલ.
ઉધનાનું BSNL નું ટેલિફોન એક્સચેન્જ સીલ
સુરતમાં મહાનગરપાલિકાએ વેરો ન ભરનાર લોકો સામે લાલ આંખ કરી છે. જી હાં અહીં વેરા વસૂલાતની કામગીરી કડક રીતે શરૂ કરી દેવાઇ છે. વેરોનો ભરનાર અને બાકી રાખનારના એકમોને સીલ કરી દેવાયા છે.
ઉધનાનું BSNL નું ટેલિફોન એક્સચેન્જ સીલ
ઉધનામાં આવેલ BSNL નું ટેલિફોન એક્સચેન્જનો ત્રણ વર્ષનો 2.30 લાખ વેરો બાકી હોવાથી ટેલિફોન એક્સચેન્જને સીલ કરી દેવાયું છે. આ અનેક દુકાનો અને ઓફિસને સીલ કરી દેવાય છે. 47 જેટલી અન્ય ઇમારતને સીલ કરવાની કવાયત હાથ ધરાઇ છે.