ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત શહેરોમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં કન્ટેનમેન્ટ વિસ્તારમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલા 54 કલસ્ટર વિસ્તારોમાં છૂછાટ મળી શકે છે.
સુરતમાં કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં છૂટ આપવા કરાયો નિર્ણય
શહેરમાં 54 ક્લસ્ટર વિસ્તારોમાં છૂટછાટ મળી શકે છે
રાંદેર ગોરાટ વિસ્તારમાં લોકડાઉન 4.0માં છૂટ આપવા વિચારણા
સુરત શહેરમાં તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારમાં છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં આવેલા 54 કલસ્ટર વિસ્તારોમાં છૂટછાટ મળી શકે છે. શહેરના રાંદેર ગોરાટ વિસ્તારમાં લોકડાઉન 4.0માં છૂટ-છાટ આપવા વિચારણા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરના કલસ્ટર વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી નવો પોઝિટિવ કેસ નહી સામે આવતાં તંત્રએ રાહતનો નિર્ણય લીધો હતો. જેને લઇને આ વિસ્તારોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત શહેરના વરાછામાં પણ અમુક વિસ્તારોમાં છૂટ મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. શહેરમાં હાલ 16 લાખ લોકો કન્ટેનમેન્ટ વિસ્તારમાં હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. આમ આ નવા નિયમ મુજબ 70 ટકા લોકોને છૂટ મળવાની શક્યતા છે.