સુરતમાં એક કેમ્પમાં બાળકોને રોગપ્રતિકારક દવા આપવામાં આવી હતી જેની હવે બાળકોમાં આડઅસર જોવા મળી રહી છે. પલસાણામાં એક સોસાયચટીના 3 બાળકોમાં આ દવાની આડ અસર જોવા મળી છે.
5 દિવસ પહેલાં ડોક્ટરે કેમ્પ રાખ્યો હતો
140 જેટલા બાળકોને પીવડાવી હતી દવા
રોગ પ્રતિકારક શક્તિ માટે દવા પીવડાવી હતી
સુરતના પલસાણામાં ત્રણ બાળકોને દવાની આડઅસર થતાં હોસ્પિટલ ખસેડાયા. રોગ પ્રતિકારક શક્તિ માટે દવા પીવડાવી હતી જેની આડઅસર થઈ હોવાની શંકાને પગલે 140 બાળકોને આ દવા પિવડાવવામાં આવી હતી તે તમામ બાળકોના માતા-પિતામાં ફફડાટ પેસી ગયો છે.
5 દિવસ પહેલાં ડોક્ટરે કેમ્પ રાખ્યો હતો
પલસાણાની સાંઈવાટિકા સોસાયટીમાં રહેતા ડોક્ટરે પાંચ દિવસ પહેલાં આરોગ્ય કેમ્પ રાખ્યો હતો. જેમાં કુલ 140 જેટલા બાળકોને રોગ પ્રતિકારક શક્તિ માટે દવા પીવડાવી હતી. બાળકોના પરિવારજનોનો આક્ષેપ છે કે, ડૉક્ટરની દવાથી તેમના બાળકોની તબિયત લથડી છે. અચાનક બાળકોની તબિયત લથડતાં પરિવારજનોએ ડોક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો.