સુરતમાં રોડ પર સૂતેલા 15 પ્રવાસી શ્રમિકો પર ટ્રકે કચડી નાંખવાની દૂર્ઘટનાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં 19 ફેબ્રુઆરી થયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજસ્થાનથી કામકાજની શોધમાં આવેલા 15 શ્રમિકોના મોત નિપજ્યાં હતા. કિમ-માંડવી રોડ પર સૂઇ રહેલા 15 લોકોને એક ટ્રકે કચડી નાંખ્યાં હતા. જેમાં એક વર્ષની બાળકી અને 8 મહિલાઓ સામેલ હતી.
5 સરકારી અધિકારીઓને નોટીસ
મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ એ જે શાસ્ત્રીની ખંડપીઠે 27 જાન્યુઆરના રોજ જનહિત અરજી દાખલ કરી અને પાંચ અધિકારીઓને નોટીસ જાહેર કરી. મુખ્ય સચિવ, ગૃહ તેમજ પતન તેમજ પરિવહન વિભાગના વધારાના મુખ્ય સચિવ, શ્રમ તેમજ રોજગાર વિભાગના પ્રધાન સચિવ તેમજ પરિવહન આયુક્તને નોટિસ જાહેર કરાઇ.
વરિષ્ઠ વકિલ દેસાઇએ લખ્યો હતો પત્ર
હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું કે દૂર્ઘટના પછી વરિષ્ઠ વકીલ અંશીન દેસાઇએ હાઇકોર્ટને પત્ર લખી સ્વતઃ સંજ્ઞાન (Automatic cognition) જનહિત અરજી દાખલ કરવાની અપીલ કરી હતી. અંશીન દેસાઇએ પત્રમાં લખ્યું કે રાજ્ય સરકાર તેજ નગર નિગમની બંધારણીય અને કાયદાકીય જવાબદારી એ છે કે ગરીબ અને નબળા વર્ગને મકાન આપવું.
હાઇકોર્ટમાં જનહિત અરજી પર આઠ ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
PM મોદીએ શ્રમિકોના મૃત્યુ પર વ્યક્ત કર્યુ હતું દુ:ખ
સુરતના માંડવી રોડ થયેલા અકસ્માત મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રમિકોના મૃત્યું પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સમગ્ર દૂર્ઘટનાની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. ઇજાગ્રસ્તોનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. કેન્દ્ર સરકારે મૃતકના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન સરકારને પણ જાણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અકસ્માતના પગલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોને બે-બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતૂ. રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે પણ ટ્વિટ કરી. સુરતમાં થયેલા અકસ્માતના મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સિવાય કેટલાક રાજકીય નેતાઓએ ટ્વિટ કરી દુઃખ વ્યકત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સુરતના કિમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમના કિમ-માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 શ્રમિકોના મૃત્યું થયા હતા. જેમાં ડમ્પર ચાલક દ્વારા ફૂટપાથ પર સૂતેલા 15 શ્રમિકોને કચડી નાંખ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રુપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું.