સુપ્રીમ કોર્ટે લૉકડાઉનનમાં પૂરુ વેતન ના આપી શકતી કંપનીઓ વિરુદ્ધ કોઇ કેસ દાખલ ના કરવા માટે આદેશ આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારના દેશભરમાં પ્રશાસનને આદેશ આપ્યો છે. આદેશ આપ્યો છે કે, તેઓ એમ્પલ્યોર્સના વિરુદ્ઘ કેસ ના કરે, જે COVID 19 ના કારણે રાષ્ટ્રવ્યાપી બંધના દરિમયાન પોતાના એમ્પલ્યોર્સને ચૂકવણી કરવા માટે અસમર્થ હોય.
સુપ્રીમ કોર્ટે લૉકડાઉનમાં આર્થિક નુકસાનનો સામનો કરી રહેલી કંપનીઓને આપી રાહત
કોર્ટે પૂરા ભારતમાં કોઇ પણ કંપનીમાં કેસ ના કરવા માટે કહ્યુ કે, જો કંપની પૂરો પગાર નથી આપી રહી.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે 29 માર્ચના એક સર્કુલરની મદદથી કર્મચારીઓને પૂરુ વેતન આપવાનો નિર્દેશ જારી કર્યો હતો.
ન્યાયમૂર્તિ એલ નાગેશ્નર રાવ, સંજય કિશન કૌલ અને બી આર ગવઇની પીઠમાં કેન્દ્ર અને રાજ્યોને પૂરી ચૂકવણી ના કરનારી કંપનીઓ વિરુદ્ઘ કેસ ના કરવા માટે કહ્યુ. જોકે તેમણે ઔદ્યોગિક એકમોની તરફથી અરજી કરવામાં આવેલી યાચિકા પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે. ધ્યાન રહે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 29 માર્ચના એક સર્કુલર જારી કર્યો જેમાં કંપનીઓને આદેશ કરવામાં આવ્યો હતો કે, રાષટ્ર્વ્યાપી બંધ દરમિયાન કર્મચારીઓને પેમેન્ટ પૂરુ આપે.
ઔદ્યોગિક એકમોએ દાવો કર્યો છે કે, તેમની પાસે ચૂકવણી કરવા માટે કોઇ ઉપાય નથી, કેમકે ઉત્પાદન નથી થઇ રહ્યો. યાચિકાકર્તાઓ કોર્ટમાં કહ્યુ કે, કોરોના વાયરસની મહામારીને કારણે દેશભરમાં થયેલા લૉકડાઉનને કારણે વર્કફોર્સને પેમેન્ટ સંપૂર્ણ રીતે કરવાની છૂટ આપવી જોઇએ. આ યાચિકા મુંબઇના એક કપડા ફર્મ અને 41 નાના વેપારી સંગઠનોને એક પંજાબ આધારિત સમૂહ દ્વારા કરવામા આવી છે.