પ્રવાસી શ્રમિકોના મામલે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે બધા શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે અને આજથી 15 દિવસની અંદર શ્રમિકોને તેમના ઘરે મોકલવામાં આવે. સુપ્રીમે જણાવ્યું કે ટ્રેનની માગની અંદર 24 કલાકની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વધારાની ટ્રેન ફાળવવામાં આવશે.
પ્રવાસી શ્રમિકો મુદ્દે સુપ્રીમકોર્ટનો ચુકાદો
15 દિવસની અંદર મજૂરોને તેના વતન મોકલવામાં આવે
રાજ્યની માગના 24 કલાકમાં ટ્રેન ઉપલબ્ધ કરાવો
આ સાથે સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારોને જણાવ્યું છે કે પ્રવાસી શ્રમિકો માટે કાઉન્સિલિંગ સેન્ટર બનાવામાં આવે. તેમનો ડેટા ભેગો કરવામાં આવે, જે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારનો હોય. જો કોઇ પ્રવાસી શ્રમિક કામ પર પરત ફરવા ઇચ્છે છે તો રાજ્ય સરકાર તેને મદદ કરે.
પ્રવાસી શ્રમિકો મુદ્દે સુપ્રીમકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ શ્રમિકોનું રજિસ્ટ્રેશન જરૂરી છે. રાજ્ય શ્રમિકોને રોજગારની યોજનાઓની જાણકારી આપે. 15 દિવસની અંદર મજૂરોને તેના વતન મોકલવામાં આવે અને રાજ્યની માગના 24 કલાકમાં ટ્રેન ઉપલબ્ધ કરવામાં આવે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય શ્રમિકો માટે હેલ્પ ડેસ્ક બનાવે અને હેલ્પ ડેસ્કથી શ્રમિકોને રોજગાર વિશે માહિતી મળી શકે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે શ્રમિકો સામે નોંધાયેલા કેસ પર રાજ્ય વિચાર કરે. આ સાથે લોકડાઉન દરમિયાન નોંધાયેલા શ્રમિકો પરના કેસ પરત લેવા પર સરકાર વિચાર કરે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાજ્યોને 8 જુલાઇ સુધીમાં એફિડેવિટ દાખલ કરવા આદેશ કર્યો છે. આ સાથે શ્રમિકોની ઓળખ કરી તેનો ડેટા તૈયાર કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે તમામ શ્રમિકોની સ્કીલ મેપિંગની વ્યવસ્થા કરો.