પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ (P Chidambaram)ને આઇએનએક્સ (INX) મીડિયા કેસમાં ઇડીની ધરપકડથી 5 સપ્ટેમ્બર સુધી રાહત મળી છે. ઇડી દ્વારા દાખલ કરાયેલ કેસમાં આગોતરા જામીન અરજી ફગાવી દેવાના દિલ્હી હાઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ પી ચિદમ્હરમની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો 5 સપ્ટેમ્બર સુધી સુરક્ષિત રાખ્યો છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી હાલ સીબીઆઇની ધરપકડમાં છે. આજે પણ બંને પક્ષોમાં દલીલો રજૂ થઇ. સરકાર તરફથી તુષાર મેહતાએ કહ્યું કે આ મહત્વપૂર્ણ ચરણમાં કોર્ટ હસ્તક્ષેપ ન કરી શકે અને તપાસ અટકાવી ન શકાય. તેને ધરપકડનો હક છે. જ્યારે કપિલ સિબ્બલે કહ્યું કે ઇડી વિદેશોમાં સંપત્તિ અને ખાતાના કોઇ દસ્તાવેજ નથી આપી રહી, બનાવટી આરોપ લગાવી રહી છે. એમણે એમ પણ કહ્યું કે ચિદમ્બરમને આગોતરા જામીન મેળવવાનો હક છે.
આ પહેલા ઇડીની તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મેહતાએ પક્ષ રાખ્યો મુક્યો હતો. તુષારે કોર્ટમાં કહ્યું કે એજન્સીની પાસે સામગ્રી હતી, આરોપો વિરુદ્ધ અને ચિદમ્બરમની પૂછપરછ પણ થઇ.
ત્યારબાદ એમણે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી. તુષાર મેહતાએ કહ્યું કે જે તથ્ય એજન્સીની પાસે છે તે પર્યાપ્ત છે. એમણે ગત વર્ષોમાં થયેલ PMLA હેઠળ કૌભાંડ અને દેશ છોડી ભાગનાર વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને જાકિર નાયકના નામ ગણાવ્યા.