અયોધ્યા કેસની 18માં દિવસની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ વતી વરિષ્ઠ એડવોકેટ રાજીવ ધવને કહ્યું કે, 'બાબરી મસ્જિદમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી એ છેતરપિંડી દ્વારા કરવામાં આવેલો હુમલો છે.' રાજીવ ધવને કહ્યું કે હિન્દુ મહાસભાએ કહ્યું કે તે આ મામલો સરકાર સુધી લઈ જશે, જેનો અર્થ એ કે કોર્ટનો અધિકારક્ષેત્ર નથી, આનો અર્થ એ છે કે કોર્ટનો આ અધિકાર ક્ષેત્ર નથી, આ પ્રકારનાં શો પર "નો મોર રથયાત્રા" પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
રાજીવ ધવને કહ્યું કે, હિન્દુ પક્ષની દલીલ છે કે મુસ્લિમ પક્ષને વિવાદિત જમીનનો કબજો લેવાનો અધિકાર નથી અથવા મુસ્લિમ પક્ષ ત્યાં નમાઝ પણ ના પઢી શકે. આની પાછળનું કારણ એ છે કે 1934માં નિર્મોહી અખાડાએ ખોટી રીતે ગેરકાયદેસર કબજો લીધો હતો. અમને નમાઝ ના પઢવા દેવાઇ. હિન્દુઓએ મુસ્લિમોને નમાઝ પઢતા અટકાવ્યા હતાં.
જસ્ટિસ બોબડેએ પૂછ્યું કે જ્યારે મુસ્લિમ (Muslim) ફરિયાદ કરે છે કે તેને નમાઝ પઢવા દેવામાં નથી આવી રહી ત્યારે તેની પર કોઇ કાર્યવાહી થઇ હતી? આ મામલે રાજીવ ધવને કહ્યું કે મસ્જિદમાં મૂર્તિનું હોવું એ કોઈ ચમત્કાર નહીં પરંતુ જાણીજોઇને થયેલો એક હુમલો હતો. તેઓએ કહ્યું કે, 'કમાનની અંદર "અલ્લાહ" શબ્દનાં શિલાલેખો છે.' ધવને કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે વિવાદિત બાંધકામમાં મધ્યમ કમાનથી ઉપર અરબી લિપિમાં બાબર અને અલ્લાહ લખાયેલું છે. આ સિવાય કલમા પણ લખાયા હતાં.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) મુસ્લિમ પક્ષકાર તરફથી વકીલ રાજીવ ધવને સોમવારનાં રોજ કહ્યું હતું કે, મારા મિત્ર વૈદ્યનાથને અયોધ્યામાં લોકો દ્વારા પરિક્રમા કરવા સંબંધી એક દલીલ કરી, પરંતુ કોર્ટને હું જણાવવા માંગુ છું કે, પૂજા માટે જાણવામાં આવતી ભગવાનની પરિક્રમા પુરાવા ના હોઇ શકે. અહીં આને લઇને એટલી દલીલો કરવામાં આવી પરંતુ આને સાંભળ્યા બાદ પણ હું એ ના દેખાડી શકું કે પરિક્રમા ક્યાં છે. એટલાં માટે આ પુરાવો નથી. અમે માત્ર એટલાં માટે જ આ પક્ષને મજબૂતીથી દેખી રહ્યાં છીએ કેમ કે ત્યાંની શિલા પર એક મોર અથવા કમલ હતું. આનો અર્થ એ નથી કે મસ્જિદ પહેલાં એક વિશાળ સંરચના હતી.
ધવને કહ્યું કે, ભૂમિ વિવાદનો હલ કાયદાકીય રીતે થાય, નહીં કે સ્કન્દ પુરાણ અને વેદને આધારે. અયોધ્યામાં લોકોની આસ્થા હોઇ શકે છે પરંતુ આ પુરાવા નથી. મુસ્લિમ પક્ષકારનાં વકીલ ધવને કહ્યું કે, સ્વયંભૂનો અર્થ ભગવાનનું પ્રગટ થવાનું હોય છે. આને કોઇ ખાસ જગ્યા સાથે જોડી ના શકાય. અમે સ્વયંભૂ અને પરિક્રમાનાં દસ્તાવેજો પર વિશ્વાસ ના કરી શકીએ.
ધવને જૂના કેસો અને નિર્ણયોનો હવાલો આપ્યો. કહ્યું કે, દેવતાની સંપત્તિ પર કોઇનો અધિકાર નથી. માત્ર સેવાનો જ અધિકાર હોય છે. બ્રિટિશ રાજ્યમાં પ્રિવી કાઉન્સીલનાં આદેશનો હવાલો આપતા ધવને પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે, વર્ષ 1950માં સૂટ દાખલ થયો અનેન નિર્મોહી અખાડાએ 1959માં દાવો કર્યો. આ ઘટનાનાં 40 વર્ષ બાદ તેઓએ દાવો કર્યો. આ કેવી સેવા છે? શ્રદ્ધાળુઓએ પણ પૂજાનાં અધિકારનો દાવો કર્યો. દેવતાનાં કાયદાકીય વ્યક્તિ અથવા પક્ષકાર હોવા પર ધવને કહ્યું કે, કોઇ જરૂરી પક્ષકાર નથી રાખવામાં આવ્યો. અહીં તો દેવતા અને પૂજા સામસામે છે. દેવતા માટે કલમ 32 અંતર્ગત કોર્ટમાં દાવો ના કરી શકાય.
ધવને કહ્યું કે, આ મામલામાં ઇતિહાસ અને ઇતિહાસકારો પર ભરોસો ના કરી શકે. જેની પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, આપે પણ ઇતિહાસનાં પુરાવા રાખ્યાં છે? તેનું શું? ધવને દલીલ કરી કે વૈદિક કાળમાં મંદિર બનાવવા અને મૂર્તિપૂજા કરવાની કોઇ જ પરંપરા જ ન હોતી. કોઇ મંદિર અથવા સ્થાન જ્યૂરિસ્ટક પર્સન, એટલે કે કાયદાકીય વ્યક્તિ હોઇ જ ના શકે. હાં દેવતા અથવા મૂર્તિ કાયદાકીય વ્યક્તિ અથવા જ્યૂરિસ્ટિક પર્સન તો હોઇ શકે છે પરંતુ કેસ ના લડી શકે.