કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને ચૂંટણી પંચને PM મોદી અને અમિત શાહ વિરુદ્ધ ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘની કાર્યવાહી કરવાના નિર્દેશ આપવા માગ કરી છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુષ્મિતાનું કહેવું છે કે આ મામલે ફરિયાદ કરવા છતાં ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું.
કોંગ્રેસ સાંસદે કહ્યું કે અત્યાર સુધી 12 ફરિયાદ દાખલ કરાવી ચૂક્યા છીએ.સુષ્મિતા દેવએ કહ્યું કે ચૂંટણી પ્રચારમાં PM મોદી અને અમિત શાહ સતત નફરત ફેલાવનારા નિવેદન આપી રહ્યા છે. આ સાથે જ PM મોદીએ પણ ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનવાળા દિવસે રેલી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
આમ સુપ્રીમ કોર્ટમાં આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી દરમિયાન પોતાના નિવેદન અને સંબોધનમાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. કોંગ્રેસે આ મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે કે ચૂંટણી આયોગમાં વારંવાર કરવામાં આવેલી અરજી છતાં દેશની સર્વોચ્ચ નિર્વાચન સંસ્થાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરી નહીં.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવ દ્વારા સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. જેમાં ચૂંટણી આયોગને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુધ્ધ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા અંગેની કાર્યવાહી કરવા નિર્દેશ કરવા અપીલ કરી છે.