ટીવી સિરીયલ તારક મહેતા...માં છેલ્લા થોડા સમયમાં ઘણા બધા ફેરફાર થયા છે. દયા, ટપ્પૂ, સોઢીના ગયા બાદ અંજલિએ પણ શૉને છોડી દીધો હતો. નેહા મહેતા કે જે તારક મહતામાં અંજલિનુ પાત્ર ભજવતી હતી જેને સુનયના ફોજદારે રિપ્લેસ કરી છે. સુનયનાએ શૉ પર પહેલા દિવસને શૅર કર્યો હતો.
તારક મહેતા..માં નવી અંજલિની એન્ટ્રી
સુનયનાએ શૅર કર્યો પહેલા દિવસનો અનુભવ
દિલીપ જોશી અને શૈલેશ લોઢા સાથે કર્યુ કામ
સુનયના એક રિશ્તા સાજેદારી કા, લાલ ઇશ્ક, બેલન વાલી બહુ જેવા સુપરહિટ શૉઝમાં કામ કરી ચૂકી છે. હવે તે તારક મહેતા..નો હિસ્સો બની છે ત્યારે તેણે ખુશી જતાવી છે.
એક ઇન્ટરવ્યૂમાં સુનયનાએ કહ્યું કે, અંજલિના પાત્રને પરદા પર લાવવા માટે એક અલગ પ્રેશર અને જવાબદારીનો અનુભવ કરી રહી છું. નેહા મહેતા છેલ્લા 12 વર્ષથી શૉ સાથે જોડાયેલી છે તો સ્વાભાવિક વાત છે કે તેની એક ઇમેજ લોકો વચ્ચે બનેલી છે. તે ઇમેજમાં ફીટ બેસવાનુ પણ એક પ્રેશર છે. મેં બસ મારુ બેસ્ટ આપવાનુ વિચાર્યુ છે, જનતાને રિકવેસ્ટ કરીશ કે તે બસ એક તક આપે જેથી હું મારી જાતને સાબિત કરી શકું. હુ તાલી અને ગાલી બંને ખાવા તૈયાર છું.
સુનયના ફોજદારે સેટ પર પહેલા દિવસને વર્ણવ્યો અને પોતાનો અનુભવ શૅર કરતા કહ્યું કે, મારી આસપાસ બધા જ કેરેક્ટર ઘણા સિનીયર છે. જેથી હું ઘણી જ નર્વસ હતી. મારો પહેલો સીન શૈલેશ લોઢા અને દિલીપ જોશીજી સાથે હતો. તેમણે મને ઘણુ કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યુ જે પોઝીટીવ સાઇન હતી.
અંજલિનુ કેરેક્ટર નિભાવવા માટે સુનયનાએ 4 ઓડિશન આપ્યા હતા. આ ઓડિશનમાં પાસ થયા બાદ અસિત સરે કહ્યું કે તે અંજલિના રોલ માટે ફાયનલ છે. નીલા પ્રોડક્શન અને અસિત મોદીની હું આભારી છું.