સુકેશ ચંદ્રશેખરનાં વકીલ અનંત મલિકે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે તેમના ક્લાયન્ટે આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યાં છે. તેમણે જણાવ્યું કે એક ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિએ આરોપોની પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
સુકેશ ચંદ્રશેખરનાં વકીલ AAP પર ફરી લગાવ્યો આરોપ
આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યાં હોવાનો દાવો
સમિતિએ આ આરોપોની પ્રાથમિક તપાસ હાથ ધરી
સુકેશ ચંદ્રશેખરનાં વકીલ અનંત મલિકે મંગળવારે આરોપ લગાવ્યો થે કે તેમના ક્લાયેન્ટે આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિએ આ આરોપોની પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને સુકેશ નિવેદન લીધું છે. સમિતિએ પણ સુકેશનાં આરોપોને ગંભીરતાથી લીધેલ છે. સમિતિએ ઉપરાજ્યપાલને પોતાની ભલામણો આપી છે કે આરોપો ગંભીર છે જેની કેન્દ્રીય એજન્સીની મદદથી તપાસ કરવી જોઇએ.
આપને 60 કરોડ રૂપિયા આપ્યા હોવાનો આરોપ
અનંત મલિકે કહ્યું કે સુરેશ લગાતાર આ પ્રકારનાં ગંભીર આરોપો આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પર લગાવતાં હોય છે. હાલમાં તેણે આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યા હોવાનો આરોપ મૂક્યો છે. સુકેશ આ વિષયે અનેક પત્રો પણ એલજીને લખી ચૂક્યાં છે. સુકેશ ચંદ્રશેખરનાં વકીલ અનંત મલિકે આગળ કહ્યું કે હવે આ મુદા પર એજન્સી પાસે તપાસ કરાવાની છે. તપાસ એજન્સીએ આ આરોપોને તપાસશે અને સુરેશને બોલાવશે. સુરેશ આ એજન્સીઓની સામે નિવેદન આપશે. હાલમાં જ સુરેશની તરફથી સત્યેન્દ્ર જૈન સહિત આપનાં નેતાઓ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે દિલ્હી સરકારનાં પ્રધાન સચિવનાં નેતૃત્વમાં ત્રણ સદસ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
સમિતિનાં સભ્યોએ મંડોલી જેલમાં સુકેશ સાથે કરી મુલાકાત
સૂત્રો અનુસાર સમિતિએ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનું નિવેદન નોંધ્યું છે. તેમાં સુકેશે જેલમાં સુરક્ષા અને રાજ્યસભા સીટ મેળવવાને બદલે મંત્રી સત્યેન્દ્ર જૈનને લાંચ આપ્યા હોવાનો આરોપ મુક્યો છે. તો હવે સુકેશે આમ આદમી પાર્ટી પર ફરી નવો આરોપ મૂક્યો છે જેની તપાસ પ્રાથમિક ધોરણે શરૂ થઇ ગઇ છે. સૂત્રો અનુસાર સમિતિનાં સભ્યોએ 14 અને 15 નવેમ્બરનાં મંડોલી જેલમાં સુકેશ સાથે મુલાકાત કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. સમિતિએ પોતાની રિપોર્ટ રાજભવનને સોંપી હતી.
રાજ્યસભા સીટ મેળવવા માટે 50 કરોડ રૂપિયા આપ્યાંનો આરોપ
સમિતિએ રિપોર્ટમાં લખ્યું કે સુકેશે સત્યેન્દ્ર જૈનને 60 કરોડ રૂપિયા આપવાનાં આરોપને રિપિટ કરેલ છે. તેમનું કહેવું છે કે તેમણે આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભા સીટ મેળવવા માટે 50 કરોડ રૂપિયા આપ નેતાને આપ્યાં અને જેલમાં સંરક્ષણ માટે 10 કરોડ રૂપિયા ચૂકવ્યાં છે. સુકેશે તાત્કાલિન મહાનિર્દેશક સંદીપ ગોયલને પણ 12.50 કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી.
કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન સાથે વાતચીત કર્યા હોવાનો દાવો
એક રિપોર્ટ અનુસાર સુકેશે સમિતિને એ પણ જણાવ્યું છે કે તેની પાસે કુલ રકમ અને તેની લેણીદેણીનું સ્થાન-સમય સંબંધિત સત્યેન્દ્ર જૈનથી વોટ્સએપ પર વાત થઇ છે. સુકેશનું કહેવું છે કે તપાસ એજન્સીઓને જ્યારે પણ આ પુરાવાઓ જરૂર હશે ત્યારે તેઓ આ ચેટ્સને પુરાવાનાં રૂપે આપશે. સુકેશનો દાવો છે કે તેણે સીએમ અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં લેણદેણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.