"હું દવા પીવા જઇ રહ્યો છુ" આ વગદાર લોકો મને હેરાન કરે છે.
પોરબંદરમાં ખેડૂત યુવકનો આપઘાત
ભાજપ નેતાના ત્રાસથી આપઘાત કર્યાનો આરોપ
સ્યુસાઇડ નોટમાં ભાજપ નેતાના નામનો ઉલ્લેખ
પોરબંદરના છાયામાં પણ એક ખેડૂત યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. કારણ દેવું નહોતું પણ ભાજપના નેતાઓના ત્રાસ હતો. પોતાની જમીનને બચાવવા આ પહેલા યુવકના પિતાએ આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો જે બાદ હાલ યુવકે ભાજપ નેતાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ લાગ્યા છે. સ્યુસાઇડ નોટમાં ભાજપના નેતા માલિકીની જમીન પૈસા લઇ ખાલી કરી દેવા ધમકી આપતા હોવાનો ઉલ્લેખ છે. ખેડૂત અને આપઘાત જાણે એકબીજા પર્યાય બની ગયા છે. અનેક ખેડૂતો દેવા તળે ડૂબી આપઘાતનો રસ્તો અપનાવી રહ્યા છે રહ્યા ખરા ઘણ ખરા ખેડૂતો કોઈ દબાણ વસ મોતને પસંદ કરી રહ્યા છે.
સ્યુસાઇડ નોટમાં ત્રણ ભાજપ નેતાનો કર્યો ઉલ્લેખ
પોરબંદરના છાયાં ખેડૂત યુવકને ભાજપ નેતાઓ અને મોટી વગ ધરવાનાર લોકો જમીન બાબતે હેરાન કરી રહ્યા હતા તેવો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે ખેડૂતની મરજી વિરુધ્ધ જમીન હડપવાનો આક્ષેપ પણ આક્ષેપ છે. 10 લાખ લઈ જમીન ખાલી કરી દેવાની બાબતે પહેલા ખેડૂત યુવકના પિતાએ આપઘાત કર્યો હતો જે બાદ હવે યુવકે સુસાઇટ નોટ લખી દવા પીધી છે. આપઘાત પહેલા લખેલી નોટમાં ખેડૂત યુવકે લખ્યું છે કે "અમને ત્રણ લોકો હેરાન કરે છે, વિક્રમ આડેડરના કારણે મારા બાપે પણ ટુંપો ખાધો. પણ અમને ન્યાય ન મળ્યો. ત્યાંથી ન અટકતા હવે અમને પણ હેરાન કરે છે. આથી હું દવા પી લઉં છું. વિક્રમ ઓડેદરા, જીવા નાગા ઓડેદરા, પંકજ ભીખુ મજેઠીયા અમને ખૂબ હેરાન કરે છે'
મૃતકના સંબંધીની આપવીતી
ખેડૂત યુવકના આપઘાત બાદ મૃતકના સંબંધીએ ખેડૂત યુવક પર ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવેલા ત્રાસની આપવીતી કહી છે. ઉપરોક્ત ત્રણેય નામોનો ઉલ્લેખ કરી 10 લાખના બદલે જમીન ખાલી કરાવવાનું દબાણ યુવક પર કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ઘણા સમયથી આ ત્રણેય લોકો ખેડૂત યુવકને ધમકી આપી રહ્યા હતા અને તારા બાપે પણ આપઘાત કર્યો અમારું કોઈ શું ઉઘાડી લીધું ? અમારી વગ ઉપર સુધી છે એટલે જમીન ખાલી કરી દે..! આમ યુવકને ત્રાસ આપી રોજ હેરાન કરવામાં આવતો હતો જે બાદ યુવકે આ પગલું ભર્યું હોવાની મૃતકના સંબંધી વાત કરી રહ્યા છે.
ન્યાય મળશે કે વગ ફાવશે?
સમગ્ર મામલે હાલ તો પોલીસ તપાસ ચાલી રહી છે પણ શું ખેડૂત પિતા બાદ ખેડૂત પુત્રને ન્યાય મળશે ખરો? કયા સુધી ગરીબ લોકોની જમીન પર વગદાર લોકો આમ જ રાજ કરતાં રહેશે ? પોલીસ કોઈ દબાણ વગર જો સાચી તપાસ કરે તો ખેડૂત પૂત્રને ન્યાય મળી શકે તેમ છે પણ શું પોલીસ આ માટે તૈયાર છે? જમીનના કારણે બાપ-દીકરા બંને આપઘાત કરતાં હાલ તો મૃતકના સંબંધીઓમાં શોકની લાગણી છે અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.