ગુજરાતના ચાર મહાનગર,અમદાવાદ,રાજકોટ,સુરત સાથે ગાંધીનગરમાં ઓમિક્રોન પોઝિટીવનાં કેસ નોંધાતા, નાગરિકોમાં ફફડાટ. રાજ્યમાં કોરોનાના આજે 51 કોરોના કેસ નોંધાયા.અમદાવાદમાં 18 કેસ.
દબાતે પગલે આવતો ઓમિક્રોન વેરીયંટ
અમદાવાદ,રાજકોટ,ગાંધીનગરમાં કેસ
સુરતમાં દુબઈથી આવેલી મહિલા સંક્રમિત
ગુજરાતમાં ઠંડીનું જોર વધવા સાથે કોરોના કહેતા ઓમિક્રોન વેરીયંટ આગળ ધપી રહ્યો છે. આજે ગુજરાતના ચાર મહાનગર,અમદાવાદ,રાજકોટ,સુરત સાથે ગાંધીનગરમાં ઓમિક્રોન પોઝિટીવનાં કેસ નોંધાતા, નાગરિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. છેલ્લા બે દિવસથી રાજકોટ,અમદાવાદ,સુરત અને વડોદરામાં શાળાના બાળકો કોરોના સંક્રમિત થતા, અમદાવાદ વાળી મંડળે એક મહિના સુધી શાળાઓ બંધ કરવા માટે રાજ્ય સરકારને પત્ર લખીને માગણી કરી છે. સુરતમાં દુબઈથી આવેલી મહિલામાં વેરીયંટ જોવા મળ્યો, તો ગાંધીનગરમાં 15 વર્ષીય કિશોર લંડનથી આવતા જ તેના પણ ઓમિક્રોનનાં લક્ષણો જોવા મળ્યા છે. વડોદરામાં બે દિવસ પહેલા જ ઓમિક્રોન આવી ચુક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ એક કેસ જોવા મળ્યો છે.
અમદાવાદમાં કેસ
અમદાવાદ એરપોર્ટ પર મૂળ લંડનથી દુબઈ થઈને આવેલા આણંદના 48 વર્ષના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. હાલમાં આ દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ છે. કોરોનાના નવા વેરિયન્ટને લઈને સતર્કતા દાખવવા નાગરિકોએ ખુદ પર ધ્યાન દેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.તો વધુ એક દંપતી રવિવારે મોડી સાંજે ઓમિક્રોન વેરીયંટથી સંક્રમિત જાહેર થયું છે.11 ડિસેમ્બરે જ તાઝાનિયાથી આવેલા દંપતીમાં ઓમિક્રોન પોઝિટિવ આવતા બંનેને સારવાર માટે SVPમાં દાખલ કરાયા છે 47 અને 45 વર્ષીય પતિ-પત્ની હાલ સારવાર હેઠળ રખાયા છે. આમ અમદાવાદમાં ઓમિક્રોનનાં 3 કેસ સામે આવ્યા છે..ગુજરાતમાં કુલ 14 કેસ થયા છે. જેમાંથી ઓમિક્રોનના 4 દર્દી સ્વસ્થ થતાં એક્ટિવ કેસની સંખ્યા 10 રહી છે.
રાજકોટમાં વિધાર્થી ઝપટમાં
રાજકોટની સિવિલ હોસ્પિટલના એમિક્રોન વોર્ડમાં નવા વેરિઅન્ટના બે શંકાસ્પદ દર્દી દાખલ થયા છે. જેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે દિવસ પૂર્વે તાન્ઝાનિયાથી બે દિવસ પૂર્વે જ રાજકોટ આવેલા વિદ્યાર્થીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રાજકોટ -ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ સ્થિત આર.કે.યુનિવર્સિટીમાં ચોથા વર્ષમાં આ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. નવાઈની વાત એ છ કે, આ વિદ્યાર્થીનો રિપોર્ટ અમદાવાદ એરપોર્ટ પર નેગેટિવ આવ્યો હતો. જો કે વિધાર્થી સાથે તેના હોસ્ટેલ રૂમમાં રહેતા બે વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રાજ્યમાં કોરોનાના 51 કેસ, અમદાવાદમાં 18
રાજ્યમાં કોરોનાના આજે 51 કોરોના કેસ નોંધાયા છે તો 55 દર્દીઓ સાજા થયા થયા છે. કોરોના સંક્રમણની શી સ્થિતિ છે,તેના પર નજર કરીએ તો અમદાવાદમાં 18, વડોદરામાં 10 કેસ, સુરતમાં 6, કચ્છમાં 3 કેસ, નવસારીમાં 3, રાજકોટમાં 5 કેસ,દ્વારકામાં 1, ગાંધીનગરમાં 1 કેસ, જામનગરમાં 1, ખેડામાં 1, મહેસાણા- વલસાડમાં 1 -1કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ દર્દીઓ સજા થવાનો દર 817874 પહોચ્યો છે. તો કોરોનાથી કુલ 10101 દર્દીના મોત નિપજ્યા છે. હજુ પણ રાજ્યમાં હાલ 576 કોરોના એક્ટિવ કેસ છે. જ્યારે આજના એક જ દિવસમાં 87 હજાર લોકોને વેક્સિન અપાઈ ચુકી છે.