ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે દેશ આજે ઘણી ગંભીર પરિસ્થિતિમાં છે.
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની મોદી સરકારની કરી ટીકા
દેશ આજે ઘણી ગંભીર પરિસ્થિતિમાં છે
કોરોના વાયરસ, ઈકોનોમી અને ચીનની આક્રમકતા
આ ત્રણ મોરચે દેશની સ્થિતિ ખરાબ છે
પોતાની પાર્ટી પર હુમલા કરવા માટે જાણીતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં ત્રણની યાદી બનાવી છે. કોરોના વાયરસ, ઈકોનોમી અને ચીનની આક્રમકતા આ ત્રણ મોરચે દેશની સ્થિતિ ઘણી ગંભીર છે. હવે ખેડૂત આંદોલનના ટકરાવની પણ સ્થિતિ પેદા થઈ છે. એક ઉપાય છે કે રાજ્યોનો વૈકલ્પિક ટેક્સ આપવો જોઈએ. પછી ભાજપ શાસિત રાજ્યો પોતાનું રિઝલ્ટ દેખાડે.
રાજ્યો વિદેશથી વેક્સિન ઓર્ડર આપે અને બીલ મોદી સરકારને મોકલી આપે
તેમણે કહ્યું કે ભારતમાં ચાલી રહેલા વેક્સિન સંકટને દૂર કરવા માટે ટ્વિટના માધ્યમ દ્વારા રાજ્યોને સલાહ આપી હતી કે કેન્દ્રની મોદી સરકારને આગોતરી ચેતવણી આપવી જોઈએ કે કોવિડ-19 ની વેક્સિનનો જરુરી સપ્લાય ન મળતા ગેર ભાજપ શાસિત રાજ્યો એકજૂટ થઈ શકે છે. સ્વામીએ એવી પણ સલાહ આપી કે તમામ વિપક્ષી રાજ્ય એકજૂટ થઈને વિદેશથી વેક્સિન ઓર્ડર આપે અને તેનું બીલ મોદી સરકારને મોકલી આપે.
સ્વામીએ ખેડૂત બીલ પર થઈ રહેલા આંદોલનના મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યાં
સ્વામીએ ખેડૂત બીલ પર થઈ રહેલા આંદોલનના મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યાં. તેમણે પીએમ મોદીને પત્ર લખીને જણાવ્યું કે કૃષિ કાયદાઓને દેશભરમાં લાગુ ન પાડવા જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ ચીન પર અંગે ચિંતા વ્યક્ત કરી.