વડોદરાઃ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શિક્ષણ પધ્ધતિમાં ફેરફાર કરવા માટે નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે વડોદરાની સેન્ટર ફોર કલચરલ એન્ડ રિસર્ચ સેન્ટરની ભલામણને માન્ય રાખવામાં આવી છે. સરકારે જાહેરાત કરી છે કે ધો 5 અને 8માં વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાય છે. પહેલા એવો નિયમ હતો કે બાળકોને ધોરણ 8 સુધી નપાસ ન કરવાનો કાયદો હતો. જોગવાઈ એવી કરાઈ હતી કે આમ કરવાથી બાળકોનો ભણતરનો પાયો કાચો રહે છે. તેને લઈને સરકારે આ નિયમ બદલ્યો છે.
નિયમથી શું ફેરફાર થશે?
દેશ અને રાજ્યમાં ઘણા વર્ષોથી ધો-1 થી 8ના વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરીને કેરીફોર્વર્ડ કરવાનો નિયમ હતો. જેના કારણે બાળકોને ભણતરનું ભારણ લાગતું ન હતું. કારણ કે તેઓ ગમે તે કરે તેમને પાસ કરીને આગળના વર્ષમાં મોકલી દેવામાં આવ્યા હતા.
એ વખતે સરકારનું માનવું હતું કે બાળકો ફેલ થતા અને અને અભ્યાસ મુકીને દેતા હતા તેવું માનવું હતું. પરંતુ હવે સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે. ધોરણ 5 અને ધો 8માં વિદ્યાર્થીને નપાસ કરવાની છૂટ આપી છે. આ કારણે ધો 10 અને 12ના પરિણામ સુધરશે તેમ સરકાર અને અનેક સંસ્થાઓ માની રહી છે. હાલ સુધી ધો 10 અને 12ના પરિણામોમાં આ રીતે પ્રમોશન મળેલા વિદ્યાર્થીઓ નાપાસ થવાના કારણે બોર્ડના પરિણામ પર અસર પડતી હતી. જેના કારણે અનેક સંસ્થાઓએ આ મામલે રજૂઆત કરી હતી. તેમાં એક સંસ્થા વડોદરાની સેન્ટર ફોર કલચરલ એન્ડ રિસર્ચ સેન્ટરની પણ ભલામણ હતી. હવે આ ભલામણ સરકારે સ્વીકારી છે. તેના સારા પરિણામ આગામી સમયમાં સામે આવશે.
હાલ તો કેન્દ્ર સરકારે આ બાબતને સ્વીકારી છે અને ધોરણ 5 અને 8માં નબળા વિદ્યાર્થીને નાપાસ કરીને તેનો પાયો મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે. પરંતુ વડોદરાનું NGO સેન્ટર ફોર કલચરલ એન્ડ ડેવલોપમેન્ટના મતે આમ કરવાથી માત્ર રિઝલ્ટ નહીં મળે તેમ માની રહ્યા છે. તેમના મતે વિદ્યાર્થીને ક્યા ફિલ્ડમાં રસ છે તે ચકાસીને તેને અભ્યાસમાં મદદરૂપ થવું જોઈએ. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હોય તેમને ટેકનિકલ અભ્યાસ તરફ મોકલવા જોઈએ. જેનો અમલ થાય તો વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા પ્રમાણેનું કામ મળી રહે. આગામી સમયમાં તેઓ તમામ મોરચે સફળ જાય તેમ આ સંસ્થાનું માનવું છે.
શિક્ષણ વિભાગના ધોરણ 5થી 8માં વિદ્યાર્થીને નાપાસ નહીં કરવાની પદ્ધત્તિના કારણે કેટલાય નબળા વિદ્યાર્થીઓ ધો 10 સુધી આવી જતા હતા. તે નપાસ થાય છે બાદમાં તે અભ્યાસ છોડી દે છે. આગળ વધવાના બદલે તેમનું કેરિયર ખતમ થઈ જાય છે. આ તમામ પાસાઓ પર નજર કરીને સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. હવે આ નિર્ણય કેટલો સાચો સાબિત થશ તે આગામી સમયમાં સામે આવશે.