બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / Strict action will be taken if stray cattle are seen in Ahmedabad from today after Gujarat HC crackdown
Priyakant
Last Updated: 09:10 AM, 1 December 2023
Cattle Control Bill : અમદાવાદમાં આજથી ઢોર પૉલિસીનો કડક અમલ કરવામાં આવશે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કાઢ્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા એક્શનમાં મોડમાં આવ્યું છે. જેથી હવે આજથી શહેરમાં ઢોર રસ્તા પર રખડતા જોવા મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે પશુ માલિક પાસે લાયસન્સ નહિ હોય તો ઢોરને શહેર બહાર ખસેડવામાં આવશે.
ઢોર પોલિસીનો શહેરમાં થશે ચુસ્ત અમલ
પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 અંતર્ગત અમદાવાદ શહેરમાં પશુ રાખવા લાયસન્સ-પરમિટ મેળવવી આવશ્યક છે. જેથી હવે આજથી રસ્તા પર લાયસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો જપ્ત કરાશે. આ સાથે જો કોઇ પણ પશુ માલિક પાસે લાયસન્સ નહી હોય તો ઢોર શહેર બહાર ખસેડાશે. મહત્વનું છે કે, હાઇકોર્ટની ઝાટકણી બાદ હવએ આજથી AMC ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરશે.
અગાઉ અપાઈ હતી અંતિમ ચેતવણી
અમદાવાદ શહેરમાં હવે પશુ રાખવા લાયસન્સ લેવું પડશે. જેને લઈ અગાઉ પણ જાણ કર્યા બાદ હવે દિવાળીના તહેવારો બાદ ફરી એકવાર અંતિમ નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં જેમની પાસે જગ્યા નથી તેમણે પશુને શહેરની બહાર લઈ જવા પડશે તેવું જ જણાવાયું હતું. મહત્વનું છે કે, હવે જો પશુમાલિકો પશુ માટે લાયસન્સ નહીં લે તો મનપા કાર્યવાહી કરશે.
મેગા સિટી અમદાવાદમાં પણ રખડતાં ઢોરોની ત્રાસ સતત વધી રહ્યો છે. જેને લઈ તાજેતરમાં તંત્ર દ્વારા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023ને અમલમાં મૂકી હતી. મહત્વનું છે કે, આ પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 અંતર્ગત અમદાવાદ શહેરમાં પશુ રાખવા લાયસન્સ-પરમિટ મેળવવી આવશ્યક છે. જોકે હજી સુધી કેટલાય પશુપાલકોએ આ આકાર્યવાહી કરી ન હોવાથી મનપા દ્વારા અંતિમ નોટિસ જાહેર કરાઇ હતું.
શું કહ્યું અંતિમ નોટિસમાં ?
પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 અંતર્ગત અમદાવાદ શહેરમાં પશુ રાખવા લાયસન્સ-પરમિટ મેળવવી આવશ્યક છે. જે અંતગર્ત પશુ રાખવા માટે નિયમાનુસાર કબ્જા માલિકી/ભોગવટાની જગ્યા ન ધરાવતા પશુપાલકો/પશુમાલિકોને પોતાના પશુ અમદાવાદ શહેરની હદ બહાર તાકીદે ખસેડી લેવા અંતિમ ચેતવણી આપવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા