હવે માસ્કના માધ્યમથી આ ખતરનાક વાયરસને શોધી શકાશે. આ શોધના માધ્યમથી ઘરે જ ઓછા ખર્ચમાં કોરોના ટેસ્ટ કરી શકાય છે.
માસ્કના માધ્યમથી આ ખતરનાક વાયરસને શોધી શકાય છે
અલ્ટ્રાવાયોલેટ લાઈટમાં કોરોનાને શોધી શકે
માસ્ક શાહમૃગની એન્ટીબોડીના ફિલ્ટરથી યુક્ત
માસ્કના માધ્યમથી આ ખતરનાક વાયરસને શોધી શકાય છે
કોરોના વાયરસને શોધવા માટે અત્યાર સુધી ટેસ્ટનો સહારો લેવામાં આવતો હતો. પરંતુ જલ્દી જ ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના માધ્યમથી આ ખતરનાક વાયરસને શોધી શકાય. હકિકતમાં વૈજ્ઞાનિકોએ એક નવું ફેસ માસ્ક તૈયાર કર્યુ છે. જે અલ્ટ્રાવાયોલેટ લાઈટમાં કોરોનાને શોધી શકે છે. આ માટે શાહમૃગની એન્ટીબોડીનો ઉપયોગ કર્યો છે. મનાઈ રહ્યું છે કે આ શોધના માધ્યમથી ઘરે જ ઓછા ખર્ચમાં કોરોના ટેસ્ટ કરી શકાય છે.
માસ્ક શાહમૃગની એન્ટીબોડીના ફિલ્ટરથી યુક્ત
આ માસ્ક શાહમૃગની એન્ટીબોડીના ફિલ્ટરથી યુક્ત છે. જે કોરોનાને શોધી શકે છે. આ માસ્કને તે રિસર્ચથી મળનારા પરિણામ પર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પક્ષીઓમાં કોરોનાથી લડવાની વધારે શક્તિ છે. આ એન્ટીબોર્ડી શાહમૃગના ઈંડામાંથી કાઢવામાં આવી છે. જે બાદ એન્ટીબોડીને કોરોનાના એક નિષ્ક્રિય, ખતરા વગરના રુપમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યા. પશ્ચિમી જાપાનમાં ક્યોટો પ્રોફેચ્યૂરલ યૂનિવર્સિટીમાં યાસુહિરો ત્સુકામોટો અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ નાના સ્ટડીમાં વોલેન્ટીયર્સને માસ્ક પર લગાવવામાં આવેલા ફિલ્ટરને હટાવતા પહેલા 8 કલાક સુધી આને પહેર્યું.
કોરોના ટેસ્ટમાં ઉપયોગી છે માસ્ક
આ બાદ વૈજ્ઞાનિકોએ આના પર એક કેમિકલ નાંખ્યું. જે કોરોનાની હાજરી હોવા પર અલ્ટ્રાવાયલેટ લાઈટમાં ચમકે છે. રિસર્ચરે જોયું કે જે માસ્ક સંક્રમિત લોકોએ પહેર્યા હતા તે નાક અને ચહેરાની પાસે ચમકી રહ્યા હતા. તેમનું કહેવું છે કે સ્માર્ટ ફોન કે એલઈડી લાઈટમાં પણ શોધી શકાય છે. વૈજ્ઞાનિકોરનું કહેવુ છે કે હવે તે એવુ માસ્ક તૈયાર કરશે કે જે લાઈટ વગર પણ ચમકે. આ કોરોના ટેસ્ટમાં બહું ઉપયોગી સાબિત થશે.
આ રીતે કામ કરે છે માસ્ક
પશું ચિકિત્સાના પ્રોફેસર અને યુનિવર્સિટીના અધ્યક્ષ સુકામોતોએ વાઈસ વર્લ્ડ ન્યૂઝને જણાવ્યું છે. આ પીસીઆર પરિક્ષણ કરવાની સરખામણીમાં શરુઆતના ટેસ્ટિંગમાં એક બહું તેજ અને ડાયરેક્ટ રુપ છે. તેમણે કહ્યું કે આના ઉપયોગ માટે કોરોનાના એસિમ્પ્ટોમેટિક દર્દીને તાત્કાલીક શોધી શકાય છે. સુકામોતો અને તેમની ટીમે 10 દિવસમાં 32 કોરોના દર્દીની સાથે ટેસ્ટ કર્યો. તેમણે કહ્યું કે શાહમૃગની એન્ટીબોર્ડીથી બનાવેલા ફિલ્ટરમાં ખાંસી, છીંક અને પાણીના માઘ્યમથી કોરોનાને શોધી શકાયું. આ બાદ ફ્લોરોસેન્ટ ડાઈ લેવલ વાલા ફિલ્ટરમાં રિએક્શન થાય છે અને રોશનીમાં આ વાયરસની હાજરી પર ચમકવા લાગે છે.