કોરોનાના મહામારીના લીધે મધ્યપ્રદેશ સરકારે ભોપાલમાં સવારે હોળી સળગાવવાનો આદેશ આપ્યો છે, જ્યારે ઇન્દોરમાં હોળી રમવાની મનાઈ ફરમાવી છે.
કોરોના મહામારીને લઈને MP સરકારનો નિર્ણય
ભાજપના જ નેતાએ કર્યો વિરોધ
લાઠી ચાલશે તો પણ કરીશું હોળી
મધ્ય પ્રદેશમાં હોળીના તહેવાર પહેલા સત્તાનશીન ભાજપ પાર્ટીમાં જ હોળી સળગી છે, બન્યું એવું છે કે ભાજપના નેતાઓ પણ તેમની સરકારના નિર્ણય સામે ઉતર્યા છે અને કહ્યું છે કે લાઠી ચાલશે તો પણ તેઓ હોળી રમશે. સરકારે હોલિકા દહન અને હોળી પર જાહેરમાં પ્રતિબંધ લગાવી દીધો છે, જેનો ભાજપ-કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો છે. અન્ય ઘણા સંગઠનો પણ તહેવાર પરની પ્રતિબંધ, હોલીકદાહનના સમયના બદલાવ અંગે વિરોધ કરી રહ્યા છે.
होलिकादहन तो होगा मै क्राईसेस मैनेजमेंट कमेटी के निर्णय से असहमति व्यक्त करता हूं। मेरे मोहल्ले में कोविड नियम पालन के साथ पर्व पूजन होगा ही। जिलाधीश जी आपका प्रकरण,डीआईजी आपका डंडा शिरोधार्य। मेरे भाई के निधन पश्चात धुलेंडी पर सीमित सीमा म़े परिवार में रंग डालने स्वजन भी आऐंगे। pic.twitter.com/lQLSCFtbl5
મહત્વનું છે કે રાજ્યમાં ભાજપની જ સરકાર છે, તો પછી ભાજપના નેતા જ સરકારના નિર્ણયથી કેમ નારાજ છે? તો ચાલો તમને જણાવી દઈએ કે ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ ટ્વીટ કરીને લખ્યું છે કે હું ક્રાઇસીસ મેનેજમેન્ટ કમિટીના નિર્ણયથી સહમત નથી.
તેમણે લખ્યું છે કે કોવિડ ગાઇડલાઇન મુજબ મારા વિસ્તારમાં હોળીની પૂજા કરવામાં આવશે. જીલાધીશજી તમારું પ્રકરણ, DIG તમારો દંડો શિરોધાર્ય! મારા ભાઈના અવસાન પછી ધુલેંડી પર પરિવારમાં સીમિત સીમામાં રંગ નાખવા વાળા પરિવાર પણ આવશે. મહત્વનું છે કે કાલે ગુરુવારે થયેલી બેઠકમાં ભોપાલની હિન્દુ ઉત્સવ સમિતિએ પણ સહમતિ દર્શાવી હતી, કે રવિવારની રાતની જગ્યાએ સોમવારની સવારે હોલિકાદહન કરવામાં આવે. જો કે હવે ઉત્સવ સમિતિની સામે વિરોધસ્વરૂપ સંસ્કૃતિ બચાવો મંચ ઊભું થઈ ગયું છે.
સવારે હોલિકાદહનની કોઈ જોગવાઇ નથી : ચંદ્રશેખર
સંસ્કૃતિ બચાવો મંચના અધ્યક્ષ ચંદ્ર શેખરે જણાવ્યું હતું કે સવારે હોલિકાદહન કરવાની કોઈ જોગવાઈ નથી. આવી સ્થિતિમાં, આપણે બધા રાત્રે સંપૂર્ણ પ્રોટોકોલ સાથે હોળીકાદહન કરીશું. અમે આપણી પરંપરા પર હુમલો નહીં થવા દઈશું. આ સાથે જ કોંગ્રેસ વતી ધારાસભ્ય સંજય શુક્લાએ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ તમામ અનૈતિક કામો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ક્રાઇસીસ કમિટી માત્ર હા પાડી રહી છે.
તેમણે કહ્યું કે અમે હોળીના રંગ માટે જઈશું કેમ કે સુતકનો અંત લાવવાનો તહેવાર છે. મહત્વનું છે કે કોરોનાના વધતા જતા કેસોને કારણે 25 માર્ચે નિર્ણય લેવામાં આવ્યો છે કે હોળીના દિવસે લોકડાઉન જેવી કડકતા રહેશે. આ વખતે લોકો ચાર રસ્તાઓ, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનમાં ભેગા થઈને હોળીની ઉજવણી કરી શકશે નહીં. તે જ સમયે ગેર કાઢવા પર પ્રતિબંધ પહેલેથી જ લાદવામાં આવ્યો હતો.