આગામી નાણાકીય વર્ષથી કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી યોજના (મનરેગા) અંતર્ગત એ રાજ્યોનો રકમ આપશે નહીં, જ્યાં ઓછામાં ઓછા 80 ટકા જિલ્લામાં મનરેગા લોકપાલની નિમણૂંક નથી કરી.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
મનરેગાને લઈને આપી આ જાણકારી
લોકપાલની નિમણૂંક કરવી જરૂરી
આગામી નાણાકીય વર્ષથી કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી યોજના (મનરેગા) અંતર્ગત એ રાજ્યોનો રકમ આપશે નહીં, જ્યાં ઓછામાં ઓછા 80 ટકા જિલ્લામાં મનરેગા લોકપાલની નિમણૂંક નથી કરી. એક ટોચના અધિકારીએ આ પ્રકારની જાણકારી આપી હતી.
રાજ્યોએ આ શરત પુરી કરવી પડશે
ગ્રામિણ વિકાસ સચિવ નાગેન્દ્ર નાથ સિંહે કહ્યું હતું કે, આદર્શ રીતે રાજ્યોને મનરેગા અંતર્ગત પોતાના તમામ જિલ્લામાં લોકપાલ નિમણૂંક કરવા જોઈએ. જે રાજ્ય મનરેગા અંતર્ગત કુલ જિલ્લામાંથી ઓછામાં ઓછા 80 ટકા લોકપાલ નિમણૂંક નથી કરતા, જે ન્યૂનત્તમ મર્યાગદા છે, તેમને રોજગાર ગેરેન્ટી યોજના માટે આગામી નાણાકીય વર્ષથી ગ્રાન્ટ નહીં મળે.
આટલી જગ્યાએ નથી એક પણ લોકપાલ
કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રાલયે આપેલા વિવરણ અનુસાર ભાજપ શાસિત ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને ગોવા, ટીઆરએસ શાસિત તેલંગણા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુડુચેરી, અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહ, લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલીમાં મનરેગા માટે એક પણ લોકપાલ નથી.
આવી જ રીતે કોંગ્રેસ શાસિત રાજસ્થાન માફક કેટલાય રાજ્યો છે, જ્યાં ખૂબ જ ઓછા જિલ્લામાં લોકપાલ નિમણૂંક કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં યોજના અંતર્ગત આવતા 33માંથી ફક્ત ચાર જિલ્લામાં લોકપાલ છે. ટીએમસી શાસિત પશ્ચિમ બંગાળમાં યોજના અંતર્ગત આવતા 23માંથી ફક્ત ચાર જિલ્લામાં લોકપાલ નિમાયા છે.
મંત્રાલયના આંકડા અનુસાર હરિયાણા, પંજાબમાં યોજના અંતર્ગત 22-22 જિલ્લા છે, પણ હરિયાણામાં ફક્ત ચાર અને પંજાબમાં સાત જિલ્લામાં લોકપાલ છે.
લોકપાલને લઈને ચિંતા વ્યક્ત કરી
આ અગાઉ 24 ફેબ્રુઆરીએ મનરેગા માટે લોકપાલ એપ લોન્ચ કરતા કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહે અલગ અલગ જિલ્લામાં લોકપાલની નિમણૂંક ન થવા પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, એવું જોવા મળ્યું છે કે કેટલીય જગ્યા પર રાજકીય પાર્ટી સંબંધિત વ્યક્તિઓને નિમણૂંક આપવામાં આવી છે.
જ્યાં લોકપાલની નિમણૂંક નથી થઈ, તેને ગ્રાન્ટ નહીં મળે
સિંહે કહ્યું કે, મંત્રાલય એ રાજ્યોને ધન રાશિ આપશે નહીં, જ્યાં મનરેગા જોગવાઈ અનુસાર લોકપાલની નિમણૂંક નથી કરવામાં આવી.
સાથે જ મંત્રીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકપાલ એપનો ઉપયોગ કરીને મનરેગાને વધારેમાં વધારે પારદર્શી બનાવામાં કેન્દ્ર સરકારનો સહયોગ કરવાનો અનુરોધ કર્યો છે.
આપને જણાવી દઈએ કે, મનરેગાનો ઉદ્દેશ્ય દેશના ગ્રામિણ ક્ષેત્રોમાં પરિવારોની આજીવિકા સુરક્ષા વધારવા માટે એક નાણાકીય વર્ષમાં ઓેછામાં ઓછા 100 દિવસની રોજગાર ગેરેન્ટી આપવાનો છે.