રાજ્યમાં મેઘરાજાની મહેર જોવા મળી છે અને નર્મદા ડેમે ઐતિહાસિક જળસપાટી વટાવી છે. ત્યારે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું. જેમાં તેમણે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે તે માટે PM મોદીની મહેનત જવાબદાર છે.
નર્મદા ડેમે વટાવી ઐતિહાસિક સપાટી
કેન્દ્રીય મંત્રીનું નિવેદન
નર્મદા ડેમ છલોછલ ભરીને ભાજપ આપશે જન્મદિવસની ભેટ
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, PM મોદીએ દરવાજા લગાવવાની આપેલી મંજૂરીને કારણે જ આજ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે અને તે ગુજરાત માટે ફાયદાકારક છે. નર્મદાના પાણીથી ખેડૂતોને લાભ થશે. તથા નર્મદાની પાઈપલાઈન દ્વારા સમગ્ર રાજ્યમાં પીવાનું પાણી મળશે. તેમ પણ મનસુખ માંડવિયાએ કહ્યું હતું.
પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત
PM નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ આગામી 17 સપ્ટેમ્બરના છે. ત્યારે PM નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે. PM મોદી નર્મદા નીરના વધામણા કરીને નર્મદા નદીની આરતી કરશે. જેને લઈને 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138.68 મીટરની સપાટીએ ભરવામાં આવશે. ડેમ સંપૂર્ણ ભરી PM મોદીને જન્મદિવસની ભેટ ગુજરાત આપશે.
178 ગામ ડૂબવાની આશંકા
એકબાજુ ગુજરાત સરકાર સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાના અવસરને ઉજવવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે ડેમમાં જળસ્તર વધવાને કારણે 178 ગામ ડૂબમાં જવાની આશંકા સેવાઈ રહી છે. સરદાર સરોવર ડેમનો આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નર્મદા બચાવો આંદોલનના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી છે.
તેમણે નર્મદા ડેમમાં પાણી વધારવાના મામલે સુપ્રીમમાં ધા નાંખી છે. આ આંદોલનના સભ્યોનું કહેવું છે કે, ડેમમાં સંગ્રહ કરવામાં આવી રહેલા પાણીને કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ગામડાઓમાં ડૂબી જશે. પરંતુ ગુજરાત સરકારનું કહેવું છે કે, આ વિરોધ કોંગ્રસ પ્રરિત છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર નર્મદામાં રોડાં નાખવાનો આક્ષેપ કર્યો છે.