ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખી SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.
મનુસખ વસાવાનો કેન્દ્રીય નાણામંત્રીને પત્ર
SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડનો આક્ષેપ
85 ટકા જેટલાં ઉમેદવારો સ્થાનિક ન હોવાની પત્રમાં રજૂઆત
ગુજરાત ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ ફરી વાર લેટર બોમ્બ ફોડ્યો છે. મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.
660 ઉમેદવારોમાંથી માત્ર 15 ટકા જ સ્થાનિક ઉમેદવારો
મનસુખ વસાવાએ પત્ર લખીને ભરતી પ્રક્રિયાની ગેરરીતીની તપાસ કરવા માંગ કરી છે. સ્થાનિક ભાષામાં નિપુણ ન હોય તેવાંની ભરતી કરાયાનો આક્ષેપ લગાવ્યો છે. ખોટી રીતે પસંદ કરેલા ઉમેદવારોની ભરતી રદ કરવાની મનસુખ વસાવાએ માંગ કરી છે. તાજેતરમાં જ 660 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે, 660 ઉમેદવારોમાંથી માત્ર 15 ટકા જ સ્થાનિક ઉમેદવારો અને 85 ટકા જેટલાં ઉમેદવારો અન્ય રાજ્યોના એટલે કે તેઓ સ્થાનિક નથી. ભરતી પ્રક્રિયામાં અન્ય રાજ્યોના ઉમેદવાર હોવાનો મનસુખ વસાવા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો.
કૌભાંડમાં સંડોવાયેલાઓને કડકમાં કડક સજા થવી જોઈએ
મનસુખ વસાવાએ પત્રમાં જણાવ્યું કે, રાજ્યની સ્થાનિક ભાષામાં જ્ઞાન હોવું જોઈએ તેવો નિયમ છે. છતાં નિમણૂંક ઉમેદવારોને સ્થાનિક ભાષાનું કોઈ જ્ઞાન નથી. આ એક દેખીતું કૌભાંડ હોવાનો સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. ભાજપ સાંસદના બે પાનાના પત્રથી ભારે ખળભળાટ મચી ગયો છે.