કેનેડાની સરકારે ઓપન વર્ક પરમિટના નિયમમાં ફેરફાર કર્યાં હોવાથી હવેથી ભારતીય કામદારો કેનેડામાં તેમના પરિવાર સાથે પણ રહી શકશે.
કેનેડાની સરકારે ઓપન વર્ક પરમિટના નિયમમાં ફેરફાર કર્યા
વર્ક પરમિટ ધારકોને પરિવારને સાથે રાખી શકશે
ઓપન વર્ક પરમીટ ધારકોમાં મોટી સંખ્યામાં ભારતીયોનો
કેનેડાની સરકારે ઓપન વર્ક પરમિટના નિયમમાં મોટા ફેરફાર કર્યા છે. કેનેડાએ 2023 થી ઓપન વર્ક પરમિટ ધારકોને તેમના પરિવારોને સાથે રાખવાની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. ઓપન વર્ક પરમિટ વિદેશી નાગરિકોને કેનેડામાં કોઈપણ કંપની અને કોઈપણ નોકરીમાં કાયદેસર રીતે કામ કરવાની મંજૂરી આપે છે. ઓપન વર્ક પરમીટ ધારકોમાં પણ મોટી સંખ્યામાં ભારતીયોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં સરકારના આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો ભારતીયને મળવાનો છે.
ત્રણ તબક્કામાં નિયમ લાગુ પાડવાની યોજના
કેનેડાના ઇમિગ્રેશન મંત્રી સેલેન ફ્રેઝરે જણાવ્યું હતું કે, "આજે અમે એક જાહેરાત કરી રહ્યા છીએ જે કંપનીઓને કામદારો શોધવાનું અને પરિવારો સાથે રહેવાનું સરળ બનાવશે." કામદારો જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી પરિવાર સાથે રહી શકશે.
200,000 થી વધુ કામદારોને મળશે લાભ
મંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાથી 200,000 થી વધુ કામદારો કે જેમના પરિવારના સભ્યો કેનેડામાં છે, અથવા જેઓ દેશમાં આવવાના છે, તેઓ તેમના પ્રિયજનો સાથે રહેવાનું અને કામ કરવાનું ચાલુ રાખશે. અહીં આવ્યા બાદ તેઓ પણ કામ કરી શકશે. આ નીતિગત ફેરફારને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે, જેથી લોકો તેમના પરિવાર સાથે આવીને રહી શકે.