આજે આપણી વાત કરીશું આસ્થાની કૃતિને સિલ્વરના શણગારની. અયોધ્યામાં રામમંદિરનું કામ પૂરજોશમાં શરૂ છે. તે મંદિર તૈયાર થશે ત્યારે કેવું લાગશે તે વિશે ભક્તોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
સુરતમાં જ્વેલર્સે ચાંદીમાંથી તૈયાર કરી રામમંદિરની પ્રતિકૃતિ
જ્વેલરીના વેપારીએ અલગ અલગ 4 પ્રતિકૃતિ કરી તૈયાર
600 ગ્રામ, 1.250 કિલો, 3.5 કિલો, 5 કિલોના મંદિર બનાવાયા
પ્રથમ નવરાત્રીથી લોકોના દર્શન માટે મુકાશે પ્રતિકૃતિ
આજે આપણી વાત કરીશું આસ્થાની કૃતિને સિલ્વરના શણગારની. અયોધ્યામાં રામમંદિરનું કામ પૂરજોશમાં શરૂ છે. તે મંદિર તૈયાર થશે ત્યારે કેવું લાગશે તે વિશે ભક્તોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. ત્યારે ભક્તોની કુતૂહલતાને દૂર કરવા સુરતના સુવર્ણકારીગરોએ રામમંદિરની ચાંદીની મઢેલી આબેહૂબ કૃતિ તૈયાર કરી છે. જેને જોઈને ભક્તો ધન્યતા અને રોમાંચ અનુભવી રહ્યા છે. ત્યારે રામમંદિરની કેવી છે એ આબેહૂબ પ્રતિકૃતિ.
ચાંદીથી રામ મંદિરની ચાર પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેની સાથે દેશના કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. કરોડો હિંદુઓની આસ્થા કેન્દ્રસમાન નિર્માણ થઈ રહેલું આ ભવ્યાતિભવ્ય રામમંદિર સંભવિત 2024માં જાન્યુઆરીમાં ભક્તો માટે ખુલ્લું મુકાય તેવી તેવી આશા સેવાઈ રહી છે. ત્યારે સુરતના ડી.ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા ચાંદીથી રામ મંદિરની ચાર પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. અયોધ્યામાં રામમંદિર તૈયાર થશે ત્યારે લોકો તેની ભવ્યતાના સાક્ષી બનશે જ પરંતુ તે પહેલા એ મંદિર કેવું બનશે તેની અનેક લોકોમાં કુતૂહલતા જોવા મળી રહી છે ત્યારે એ કુતૂહલતાના સમાધાન માટે સુરતના જ્વેલર્સ દ્વારા રામમંદિરની ચાંદીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
રામ મંદિરની પ્રતિકૃતિને દર્શનાર્થીઓ માટે પ્રદર્શનમાં મુકાઈ
રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવા માટેચાર કારીગરોની ટીમ દ્વારા સતત બે મહિના સુધી કામગીરી કરવામાં આવી હતી. અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થવાનું છે તે મંદિરમાં કેટલા પિલર, કેટલા ઘુમટ છે અને તેનું સ્ટ્રક્ચર કઈ રીતનું હશે તે તમામ બાબતોની જીણવટ ભરી માહિતી સાથે સૌપ્રથમ એક લાકડાનું રામ મંદિર તૈયાર કરાયું હતું. ત્યાર બાદ તેનો અભ્યાસ કરીને ચાંદીનું રામમંદિર બનાવવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે હવે એ તૈયાર થયેલી રામમંદિરની ચાર આબેહૂબ પ્રતિકૃતિ ને હાલ સુરતના ડી.ખુશાલદાસ જ્વેલર્સના શો રૂમમાં દર્શનાર્થીઓ માટે પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.
તૈયાર કરવામાં આવેલી પ્રતિકૃતિ અલગ અલગ વજનની છે
જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી રામ મંદિરની ચાર પ્રતિકૃતિ વિશે વાત કરીએ તો એક પ્રતિકૃતિ 600 ગ્રામની છે. બીજી પ્રતિકૃતિ સવા કિલોની છે. ત્રીજી પ્રતિકૃતિ સાડા ત્રણ કિલોની અને ચોથી પ્રતિકૃતિ પાંચ કિલોની છે. 600 ગ્રામ ચાંદીના રામ મંદિર ની કિંમત 70 હજાર રૂપિયા જેટલી છે અને સાડા ત્રણ કિલો ચાંદીના મંદિરની કિંમત 5.45 લાખ જેટલી છે. જ્વેલર્સનું કહેવું છે કે તેમનો મુખ્ય આશાય મંદિરની પ્રતિકૃતિ વેચવાનો નહીં પરંતુ સુરતની જ્વેલરી કળાને વિશ્વસમક્ષ પ્રસ્તુત કરવાનો છે.
રામ મંદિરની પ્રતિકૃતિ જોઈ શ્રદ્ધાળુઓ આનંદ અનુભવી રહ્યા છે
કુશળ કારીગરો દ્વારા ચાંદીના મંદિરમાં જે નકાશી કામ કરવામાં આવ્યું છે તેને જોઈને શ્રદ્ધાળું ખુશ થઈ જાય છે, ભગવાન રામ પ્રત્યેની આપણી ઊંડી આસ્થા છે. ત્યારે અયોધ્યામાં બની રહેલા રામંદિરની પ્રતિકૃતિ જોઈને મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ ખૂબ આનંદ અનુભવી રહ્યા છે..