ગત 8 નવેમ્બરે પદ્મશ્રી એવોર્ડ સભારંભ યોજવામાં આવ્યો હતો. જેમા કર્ણાટકના એથલીટ વાય વેંકટેશને રાષ્ટ્રપતિએ વિશેષ સન્માન આપ્યું સાથેજ તેમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
કર્ણાટકના એથલીટ વાય વેંકટેશને વિશેષ સન્માન
રાષ્ટ્રપતિએ પદ્મશ્રી આપીને કર્યું વિશેષ સન્માન
કાર્યક્રમમાં હાજર લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવ્યા
રાષ્ટ્રપતિ ભવનંમાં ગઈકાલે એટલે કે 8 નવેમ્બરે પદ્મશ્રી એવોર્ડનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. જેમા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં પેરા એથલીટ, વાઈ વેંકટેશને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા. એવોર્ડ લેતી વખતે તાળીઓના ગડગડાટ સાથે વેંકટેશ સ્ટેજ તરફ આગળ વધ્યા હતા. ત્યારે દરેકની નજર તે નાના કદવાળા ખેલાડી પર પડી હતી.
રાષ્ટ્રપતિએ નીચે આવી તેમને પદ્મશ્રી આપ્યો
રમતગમત ક્ષેત્રે તેમણે ઘણું યોગાદન આપ્યું છે. જેથી તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ મંચ પહોચ્યા ત્યારે રાષ્ટ્રપતિએ જોયું કે તેમની હાઈટ ઓછી હોવાને કારણે તેમણે વેંકટેશેને કહ્યું કે તેઓ સીડીઓથી નીચે ઉતરે બાદમાં રાષ્ટ્રપિત પણ નીચે આવ્યા અને તેમને પદ્મશ્રી પહેરાવ્યો હતો.
વેંકટેશ કર્ણાટકના પેરા એથલીટ
આપને જણાવી દઈએ કે પાય વેંકટેશ કર્ણાટકના પેરા એથલીટ છે. જેમા રમત ગમત ક્ષેત્રે તેઓ ઘણા એક્ટિવ રહેતા હોય છે. જોકે હાલ તેઓ રિટાયર્ડ થઈ ચુક્યા છે અને તેઓ કર્ણાટકમાં પેરા-બેડમિંટન એસોસિએશનના સચિવ છે.
સંતરા વેચનાર હરેકલાને પણ મળ્યો પદ્મશ્રી
કર્ણાટકમાં સંતરા વેચીને છોકરાઓ માટે સ્કૂલ બનાવનાર હરેકલાનું કેન્દ્ર સરકારે મોટું સન્માન કર્યું છે. પોતે અભણ હોવા છતાં પણ છોકરાઓના ભણતર અર્થે ભણેલા પણ ન કરી શકે તેવું કામ કરીને હરેકલાએ દેશનું નામ રોશન કર્યું છે. સંતરા વેચીને ગુજરાન ચલાવતા હરેકલાએ છોકરાઓના ભણતર માટે એક સ્કૂલ શરુ કરી અને આજે દેશ આખાએ તેમની કદર કરી છે. હરેકલા હજબ્બા કર્ણાટકના મેંગ્લોર શહેરમાં સંતરાના વેપારી છે. ગામમાં સ્કૂલ ન હોવાને કારણે તેઓ ભણી શક્યા નહોતા પરંતુ શિક્ષણ પ્રત્યેનું તેમનું સમર્પણ એવું હતું કે હવે તેઓ શિક્ષિતો માટે પણ ઉદાહરણ તરીકે ઉભરી આવ્યા છે.
સંતરા વેચીને છોકરાઓ માટે સ્કૂલ બનાવી
તેમણે ગામના બાળકો માટે એક શાળા બનાવી હતી અને મેંગ્લોર શહેરથી લગભગ 35 કિમી દૂર હરેલાના ન્યૂ પડ્પુ માં તેમના ગામમાં સંતરા વેચવાના વ્યવસાયમાં પૈસા ઉમેરીને બાળકોને શિક્ષણ સાથે જોડવામાં સફળ રહ્યા હતા. પોતાના ગામમાં સ્કૂલ ન હોવાથી તે પોતાનો અભ્યાસ કરી શક્યો નહીં. તેમણે તેને એક પડકાર તરીકે લીધો અને હરકલામાં શાળા બનાવવાની તેમની યાત્રા ૧૯૯૫ માં શરૂ થઈ. શાળા માટે અને મંજૂરી માટે જમીન મેળવવામાં કોઈ કસર બાકી ન રાખી, પરંતુ તેનો કોઈ ઉપયોગ ન થયો હોય તેવું લાગતું હતું.