ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના થનારા અધ્યક્ષ સૌરવ ગાંગુલી સ્પષ્ટ કરી દીધુ છે કે, ''તેઓ સિલેક્ટર્સને મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઇને વાત કર્યા પછી પોતાનો મત કહેશે. '' 39 વર્ષીય ધોની વર્લ્ડ કપ 2019 ના સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ ટીમ ઇન્ડિયાની હાર બાદ ક્રિકેટથી દૂર છે, તે આગામી મહિને બાંગ્લાદેશ વિરુદ્ઘ થનારી 3 મેચની T-20 ઇન્ટરનેશનલ સીરિઝમાં નહી રમે. આ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી 24 ઓક્ટોબરના થશે.
ધોની વર્લ્ડ કપ 2019 ના સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ ટીમ ઇન્ડિયાની હાર બાદ ક્રિકેટથી દૂર છે.
આ વિશે જોવું પડશે કે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ વિશે શું વિચારે છે અને શું ઇચ્છે છે: સૌરવ ગાંગુલી
નવા સંવિધાન અનુસાર, ટીમ ઇન્ડિયાના ચીફ કોચ રવિ શાસ્ત્રી આ બેઠકનો ભાગ નહી હોય
ધોનીએ જોકે સત્તાવાર રીતે સંન્યાસની જાહેરાત કરી નથી અને બીજી તરફ સિલેકટર્સ વારંવાર કહી રહ્યા છે, આગામી વર્ષ ઓસ્ટ્રેલિયામાં થનારા T-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેઓ આગળ વધી રહ્યા છે. બુધવારે ઇડન ગાર્ડનમાં પત્રકારો સાથે વાત કરતા સૌરવ ગાંગુલીએ જણાવ્યુ કે, ''24 ઓક્ટોબરના સિલેક્ટર્સને વાત કર્યા પછી પોતાનો મત રાખીશ. હું જાણું છું કે, સિલેક્ટર્સ આ અંગે શું વિચારે છે.''
સૌરવ ગાંગુલીએ આગળ કહ્યુ કે, ''ધોનીની સાથે વાત કરીને તેનો મત પણ જાણવુ પડશે. અમારે જોવું પડશે કે ધોની શું વિચાર છે. હું તેની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશ કે તે શું ઇચ્છે છે અને શું નહી.'' તેણે આગળ કહ્યુ કે, ''જોકે હું આ તમામ બાબતોથી દૂર છું એટલે કદાચ મારા સામે મુદ્દો સ્પષ્ટ નથી. હું તમામ જાણકારી મેળવી લઇશ અને આગળ જ કોઇ નિર્ણય લઇ શકીશ.''
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટને સ્પષ્ટ કર્યુ કે, ''23 ઓક્ટોબરના કાર્યભાર સંભાળ્યા પછી જ સિલેક્ટર્સ અને કેપ્ટનની સાથે વાત કરીશ. આ પહેલા સિલેક્ટર્સની બેઠક 21 ઓક્ટોબરે થવાની હતી જોકે હવે 24 ઓક્ટોબરના થશે. આ બેઠકમાં દેવધર ટ્રોફી માટે ભારત A, B અને C ટીમોની પસંદગી કરવામાં આવશે. સિલેક્શન કમિટીની સાથે મારી પહેલી બેઠક 24 ઓક્ટોબરના થશે. હું સિલેક્ટર્સ અને કેપ્ટનની સાથે વાત કરીશ. નવા સંવિધાન અનુસાર કોચ (રવિ શાસ્ત્રી) આ બેઠકમાં ભાગ નહી લે.''