પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભાવનાઓને વ્યક્ત કરતો નથી, પરંતુ આ કરિશ્માઇ ક્રિકેટરે હૃદયસ્પર્શી વાત કહી છે. મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું- મેચ અથવા ટૂર્નામેન્ટ દરમિયાન દરેક પ્રકારની ભાવનાઓમાંથી પસાર થાઉં છું
ધોનીએ કહ્યું કે તે પણ એક માણસ છે. તેનામા પણ અન્ય લોકોની જેમજ ભાવનાઓ ઝડપથી આવે છે
ધોનીએ કહ્યું, કે તેણે પરિણામો કરતા તેના માટે કરવામાં આવતા પ્રયાસો પર વધુ ભાર મુક્યો છે
મહેન્દ્ર સિંહ ધોની ભાવનાઓને વ્યક્ત કરતો નથી, પરંતુ આ કરિશ્માઇ પૂર્વ કેપ્ટને હૃદયસ્પર્શી વાત કહી છે. એને કહ્યું કે એ પણ સામાન્ય માણસની જેમ જ વિચારે છે, પરંતુ બસ નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખવાના મામલે એ કોઇ અન્યની સરખાણીએ સારો છે.
પોતાની શાંતચિત પ્રવૃતિના કારણે એને ભારતીય ક્રિકેટમાં 'કેપ્ટન કૂલ'નું નામ મળ્યું, પરંતુ બે વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમની આગેવાની કરનાર આ વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે દરેક જીત અને દરેક હાર દરમિયાન ભાવનાઓ એની પર પણ હાવી રહી છે.
'...હું પણ સામાન્ય માણસ છું'
બુધાવારે એક કાર્યક્રમ તેણે કહ્યું કે તે પણ એક માણસ છે. તેનામા પણ અન્ય લોકોની જેમજ ભાવનાઓ ઝડપથી આવે છે પરંતુ તે તેને નિયંત્રિત કરે છે. ધોનીએ કહ્યું કે ભાવનાઓ તે લગભગ અન્ય લોકો કરતા સારી રીતે કાબૂ કરી શકે છે.
ધોનીએ આગળ કહ્યું- હું અન્ય લોકોની જેમ જ છું પરંતુ તેમની સરખામણીમાં પોતાની ભાવનાઓને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકું છું. ઉલ્લેખનીય છે કે કે જુલાઈમાં પૂર્ણ થયેલા વિશ્વકપ બાદ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. એવુ માનવામાં આવી રહ્યું છે કે તે ડિસેમ્બરમાં પરત ફરશે.
'ભાવનાઓ પર કાબૂ કરી લઉં છું'
ધોનીએ કહ્યું કે તે સમસ્યાઓનું સમાધાન શોધવા માટે કારગર સાબિત રહ્યો છે. એને કહ્યું, 'આ ભાવનાઓની તુલનામાં હાલ શું કરવું જોઇએ એ વધારે મહત્વપૂર્ણ છે. આગળની શું ચીજ છે જેની હું યોજના બનાવી શકું છું?' જેનો હું ઉપયોગ કરી શકું એ આગળનો વ્યક્તિ કોન છે? એક વખત જ્યારે હું વિચારવા લાગું છું તો પછી હું મારી ભાવનાઓને સારી રીતે કાબૂ કરી લઉં છું.
'મોટી ટૂર્નામેન્ટ જીતવી એક ટીમનું લક્ષ્ય હોય છે’
ધોનીએ કહ્યું- જો એક ટેસ્ટ મેચ હોય તો તેમાં તમારી પાસે બે ઇનિંગ છે તેથી તમને યોજના બનાવવા માટે વધુ સમય મળે છે. T-20માં બધી બાબતો ખૂબ જલદી થાય છે તેથી તેની માંગ અલગ છે.
ધોનીએ કહ્યું, 'એ એક ખેલાડી હોઇ શકે છે, જેને ભૂલ કરી અથવા આખી ટીમ હોઇ શકે છે. અથવા એવું ફણ હોઇ શકે છે કે પ્રારૂપ કંઇ પણ હોય પોતાની રણનીતિ પર સારી રીતે અમલ કર્યો નથી.'