બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને મહિના થવાના છે પરંતુ આજે ફણ તેમના મોતની કહાની એક પઝલ બની રહી છે. બીજી તરફ કેટલાક સ્ટાર સુશાંતની મોતને લઇને પબ્લિસિટી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ બાબતે સોનુ સૂદે મોટુ અને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.
સોનૂ સુદે સુશાંતના મોત પર આપ્યુ નિવેદન
કંગના પર સાધ્યુ નિશાન
સુશાંતના મોતથી લાઇમલાઇટ મેળવે છે સેલિબ્રિટી
સોનુ સૂદે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની મોતનો ફાયદો ઉઠાવીને કેટલાક સ્ટાર્સ લાઇમલાઇટમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આવુ ન થવું જોઇએ, તેમના પરિવાર વિષે તો વિચારો કે અત્યારે તે કેવી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યાં હશે, જે લોકો સુશાંતને ક્યારેય મળ્યા જ નથી તે લોકો હવે આ ડિબેટમાં હિસ્સો લે તે યોગ્ય નથી.
કંગના ક્યારેય સુશાંતને નથી મળી
સોનૂ સૂદનુ આ નિવેદન કંગના રનૌત માટે હતું. તમને જણાવી દઇએ કે કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેણે સુશાંતના મોત બાદ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને ફોન કર્યો હતો કે જેણે મણિકર્ણિકામાં કંગના સાથે કામ કર્યું છે.
વધુમાં તેણે કહ્યું કે, તે અને સુશાંત ક્યારેય મળ્યા નથી, હા, તેણે કદાચ કંગનાની કોઇ બર્થ-ડે પાર્ટી અટેન કરી હશે પરંતુ સુશાંત સાથે ક્યારેય વાત નથી થઇ, તેમ છતાં તેઓ ક્લોઝ હતા.
કંગના જાણવા ઇચ્છે છે કે સુશાંત ક્યા પ્રકારની પર્સનાલિટી ધરાવતો હતો, અંકિતાએ જણાવ્યું હતું કે સુશાંતને આટલી પોપ્યુલારિટી મળ્યા બાદ પણ તે જમીન સાથે જોડાયેલો માણસ હતો. અંકિતાએ જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતને ખૂબ અપમાનિત કરવામાં આવ્યો હતો.