કોરોના કાળમાં ઘણા બાળકોએ પોતાની છત્ર છાયા ગુમાવી છે અને તેવા બાળકોના ભવિષ્યની ચિંતા કરી PM મોદીને સોનિયા ગાંધીએ પત્ર લખ્યો છે
દેશની અમુક રાજ્ય સરકારે આવા બાળકો માટે સારા પગલાં લીધા છે
સંક્રમણમાં પોતાના માતાપિતા ગુમાવનાર બાળકોની સ્થિતિ ઘણી માર્મિક
દેશભરમાં છે 661 નવોદય સ્કૂલો
દેશની અમુક રાજ્ય સરકારે આવા બાળકો માટે સારા પગલાં લીધા છે
કોરોના મહારમારીમાં દેશના ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણા પરિવારોના યુવાનોથી લઈ ઘર ચલાવનાર મોભી પણ મૃત્યુ પામ્યા છે. સાથે સાથે દેશમાં ઘણા બાળકોએ પોતાના માં-બાપ પણ ગુમાવ્યા છે. કેટલાક બાળકોએ પિતા તો કેટલાક બાળકોએ માતા ગુમાવી છે. આવ બાળકો માટે અલગ અલગ રાજ્યોએ પોતાની રીતે એ બાળકોનું ધ્યાન રાખશે તેવું આશ્વાસન પણ આપ્યું છે. મધ્યપ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં આવ બાળકો માટે અને ઘરમાં જો માત્ર દીકરી જ કમાવનાર હોય તો તેમના માટે સારી યોજના પણ બહાર પાડી છે.
Congress interim chief Sonia Gandhi wrote to PM Modi requesting him to consider providing free education in Navodaya Vidyalaya to children who lost both of their parents or an earning member of the family pic.twitter.com/cgPUP8rlSm
સંક્રમણમાં પોતાના માતાપિતા ગુમાવનાર બાળકોની સ્થિતિ ઘણી માર્મિક
આ વાતને ધ્યાનમાં લઈ સોનિયા ગાંધીએ આજે PM મોદીને પત્ર લખતા જણાવ્યું છે કે કોરોનાકાળમાં જે બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે કે કમાણી કરનાર સ્વજન ગુમાવ્યા છે તે દરેક બાળકને નવોદય વિદ્યાલયમાં મફતમાં શિક્ષણ આપવમાં આવે. તેમણે પત્રમાં લખ્યું છે કે "તમે જાણો છો કે કોરોનાની બીજી લહેરે ઘણા લોકોના પરિવારોને વેરવિખેર કરી નાખ્યું છે. મહામારીના લીધે થઈ તબાહી અને તેના દ્વારા પરિવાર પર આવી પડી મુશ્કેલી સહન કરી શકાય તેમ નથી, તેથી સંક્રમણમાં પોતાના માતાપિતા ગુમાવનાર બાળકોની સ્થિતિ ઘણી માર્મિક છે. તેમના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા કરવા વાળું કોઈ જ નથી.
દેશભરમાં છે 661 નવોદય સ્કૂલો
તેમણે આગળ લખ્યું કે, તમે જાણો છો કે મારા પતિ રાજીવ ગાંધીની સૌથી મહત્વપૂર્ણ વિરાસતોમાંથી એક નવોદય સ્કૂલનું નેટવર્ક પણ છે. મારા પતિનું સપનું હતું કે ગામડામાં રહેતા દરેક બાળકોને ઓછા ખર્ચામાં સારું શિક્ષણ મળે અને હાલમાં દેશમાં કુલ 661 નવોદય સ્કૂલ છે. હું આ પત્ર દ્વારા તમને વિનંતી કરું છું કે તમે આ મહામારીમાં માતાપિતા ગુમાવનાર દરેક બાળકને આ શાળાઓમાં મફતમાં શિક્ષણ આપવાનો વિચાર કરો.