લોકસભાની ચૂંટણી 2019માં કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. જ્યારે દેશમાં સૌથી વધુ લોકસભા બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં 80માંથી માત્ર 1 બેઠક પર જીત મળી છે. ઉત્તર પ્રદેશના રાયબરેલી બેઠક પથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ જીત મેળવી છે. સોનિયા ગાંધીએ જીત બાદ જનતાને પત્ર લખતાં જણાવ્યું કે લડાઇ ભલે ગમે તેટલી લાંબી હોય પરંતુ હું પીછે હટ નહીં કરું.
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાની સાથે-સાથે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને સ્વાભિમાન દળના કાર્યકર્તાઓને પોતાની જીત અને તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે આપના તરફથી મળેલ પ્રેમ, સ્નેહ અને સમર્થનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી શરમજનક હાર મળી છે. યૂપીમાં પણ કોંગ્રસને 80માંથી માત્ર એક જ બેઠક મળી છે. ત્યારે ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જીત મેળવી છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ રાયબરેલીની જનતાને એક પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં રાયબરેલીની જનતાનો તેમના પર વિશ્વાસ મુકવા બદલ આભાર માન્યો છે.
પત્રમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, હું એક ખુલા પુસ્તકની જેમ છું. તમારા લોકો પાસેથી હિંમત મળે છે. એ જ અસલી શક્તિ છે. સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓ સહિત સપા અને બસપાના કાર્યકર્તાઓને પણ શુભેચ્છા પાઠવી છે. સોનિયાએ પત્રમાં એવું પણ લખ્યું છે કે, પોતાના પારિવારિક દાયિત્વોને નિભાવતા જાહેર જવાબદારીઓને પણ નિભાવશે.
UPA Chairperson and elected MP from Rae Bareli Sonia Gandhi, writes to people of her constituency thanking workers of Congress, Samajwadi Party, Bahujan Samaj Party and Swabhiman Dal for their contribution in her win. pic.twitter.com/nsGC8MPMGq
આવનારા દિવસો વધુ મુશ્કેલીભર્યા હશે. પરંતુ જનતાના વિશ્વાસથી કોંગ્રેસ તમામ પડકારોને પાર કરશે. લડાઈ ભલે ગમે તેટલી લાંબી હોય પણ કોંગ્રેસના પૂર્વજોની પરંપરાનું પાલન કરતા સર્વસ્વ કુરબાન કરવામાં પણ પીછેહટ નહીં કરુ.