આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ઠેક ઠેકાણે ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. કૃષ્ણ ભક્તોમાં અપ્રતિમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના પાવન પર્વને લઈ સોમનાથ સ્થિત ભાલકા તીર્થમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાલકાતીર્થનો મહિમા અનેરો છે
શ્રીકૃષ્ણને જે સ્થળેથી ભાલુ વાગ્યુંએ અને ભગવાન શ્રીકૃષ્ણે સ્વધામ ગમન કર્યું તે સ્થળને ભાલકા તીર્થ કહેવાય છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવનાં અનન્ય ભક્ત હતા. કૃષ્ણ દ્વારકા રહેતા હતા અને દ્વારકાથી પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા. સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનું પુરાણોમાં ઉલ્લેખ છે. જેથી સોમનાથ ટ્રસ્ટમાં આવતા આ ભાલકા તીર્થમાં આજે જન્માષ્ટમીના દિવસે વિશેષ પુજાઅર્ચના કરવામાં આવે છે. તો આજના દિવસે ખાસ ભાગવાના વસ્ત્રો બદલી તેમજ સવાર, બપોર, સાંજ તેમજ રાત્રીમાં મહાઆરતી કરવામાં આવે છે.
આજે સમગ્ર દેશભરમાં જયારે જન્માષ્ટમી ઉત્સવ માનાવમાં આવે ત્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ભાવિકો ભાલકા તીર્થ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને ભગવાન શ્રીકૃષ્ણ દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. તો મટકીફોટ કાર્યક્રમમાં નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી સાથે ભાલકા તીર્થ ગુંજી ઉઠે છે.