બે સંત વચ્ચેના વિવાદમાં ફસાયો પરિવાર,સેવકના પરિવાર પર કેસ પરત લેવા દબાણ
હરિમંદિરનો વિવાદ
વિવાદમાં સેવક બન્યો ભોગ
સેવકને માર મારવા મુદ્દે તપાસ તેજ
હરિધામ સોખડા મંદિર મા સેવક ને માર મારવાનો વિવાદ વધી પેચીદો બની રહ્યો છે પિડીત યુવક અને તેનુ પરિવાર અરજી આપ્યા બાદ અજ્ઞાત સ્થળે ચાલ્યુ ગયુ છે ભય ના કારણે પરિવાર ને અજ્ઞાત સ્થળે જવાની ફરજ પડી છે ત્યારે મંદિર મા ચાલતી સત્તા માટે ની જુથબંધી સપાટી પર આવી રહી છે.
પ્રેમસ્વરૂપ સ્વામી ના સંતો એ હુમલો કરી મારમાર્યો
હરિધામ સોખડા મંદિર મા હરિપ્રસાદ સ્વામી ના અક્ષરનિવાસી થયા પછી મંદિર ની ગાદી માટે પ્રેમસ્વરૂપ અને પ્રબોધ સ્વામી ના બે જુથ પડી ગયા છે અને પ્રબોધ સ્વામી ને માનતા અનુજ ચૌહાણ પર પ્રેમસ્વરૂપ સ્વામી ના સંતો એ હુમલો કરી મારમાર્યો હતો હુમલા ના વિડીયો બહાર આવતા જ અનુજ ચૌહાણ ને તેના પિતા ધરે લઈ આવ્યા હતા અને પોલિસ મા અરજી આપ્યા બાદ આખુ પરીવાર ધર ને તાળુ મારી અજ્ઞાત સ્થળે ચાલ્યુ ગયુ છે જોકે આજે અનુજ અને તેને ના પિતા વિરેન્દ્ર ચૌહાણે મિડિયા સમક્ષ એક વિડીયો શેર કર્યો અને આક્ષેપ કર્યો હતો કે પરિવાર પર દબાણ લાવવા મા અવી રહ્યુ છે અને અનુજ દ્વારા વિડીયો ઉતારવા ની વાત ઉપજાવી કાઢી છે આખુ પરીવાર ભયના ઓથાર નીચૈ જીવી રહ્યું છે.
પ્રવક્તા ત્યાગ વલ્લભ સ્વામીએ શું કહ્યું?
પાચ દિવસ થી અનુજ અને તેનૉ પરીવાર અજ્ઞાત સ્થળે ચાલ્યુ ગયુ છે ત્યારે સ્વભાવિક છે કે સીધોજ આક્ષેપ મંદિર સંચાલકો અને સંતો ઉપર થઈ રહ્યો છે અને પરીવાર પર દબાણ લાવવા મા આવી રહ્યુ છે જોકે આ બાબતે મંદિર ન પ્રવક્તા ત્યાગ વલ્લભ સ્વામી મિડિયા સમક્ષ આવ્યા હતા અને કહ્યુ કે અમે પોલિસ તપાસ મા સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ અને પરીવાર નીસંકોચ પણે પોલિસ સમક્ષ કે મંદિર સમક્ષ આવે સાથે બેસી ને યોગ્ય ઉકેલ લાવીશુ.
પોલિસ રક્ષણ આપવાની પણ વાત
પાંચ દિવસ થી અનુજ નુ પરિવાર અજ્ઞાત સ્થળે ચાલ્યુ જતા પોલિસ માટે પણ મુશ્કૈલી રૂપ બન્યુ છે પોલિસે મંદિર મા તપાસ કરી કેટલાક લોકો ના નિવદનો પણ લીધા છે અને કોગ્નેઝીબલ ગુનો બનતો હોવા નુ તપાસ મા બહાર આવ્યુ છે જોકે પરિવાર નિવૈદન લખાવવા ના આવે ત્યા સુધી એફઆઈઆર થઈ શકે તેમ નથી .. જીલ્લા પોલિસ વડાએ પરિવાર ને સંપૂર્ણ સુરક્ષા ની ખાત્રી આપી છે અને ભય વગર પરિવાર પોલિસ સમક્ષ આવે અને નિવેદન નોધાવ તમે વીફણ અસીલ કરી છો જો પરિવાર ને જરુર લગશે તો પોલિસ રક્ષણ આપવાની પણ જીલ્લા પોલિસ વડાએ વાત કરી છે.એક અઠવાડિયા થી વિડીયો વાયરલ થયો ત્યાર થી લોકો મા ચર્ચા નો વિષય બન્યો છે જોકે પિડિત પરીવાર મંદિર ના સંતો અને તેમના અનુયાયીઓ પર શંકા વ્યક્ત કરી રહ્યુ છે જોકે આખા મામલા મા પોલિસ તપાસ કરી ને શુ કાર્યવાહી કરે છે તેની તરફ સહુ ની નજર મંડાઈ છે