વિશ્વમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. જેને પગલે વિશ્વના દેશોએ લોકડાઉન કરવાની ફરજ પડી છે. ત્યારે વૈજ્ઞાનિકોએ આ મહામારી સામે સાવધાન રહેવા માટે વિશ્વના દેશોને ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોએ વિશ્વના દેશોને આ મહામારી સામે ર વર્ષનો પ્રતિબંધ જરૂરી હોવાની સલાહ આપી છે.
કોરોના વાયરસ સંક્રમણને રોકવા 2022 સુધી સોશિયલ ડિસ્ટન્સ જરૂરી
વૈજ્ઞાનિકોના મત મુજબ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 2022 સુધી સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે..પહેલા વાયરસ સામે રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ જરૂરી છે. આમ ન થાય ત્યાં સુધી મોટાભાગની વસ્તીમાં સંવેદનશીલ રહેવાની શક્યતા છે. જો કોરોનાની રસી અને સારવારનું નિવારણ ના થાય તો ગંભીર પરિણામ આવી શકે છે.
2022 સુધી સર્વેલન્સ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાની આપી સલાહ
2025માં ફરીથી કોરોના વિશ્વને પોતાના ભરડામાં લઈ શકે છે. કોરોનાની હાલની સ્થિતિ ગંભીર છે. આથી 2020ના ઉનાળા સુધી આ મહામારીના અંતની આગાહી કરવી યોગ્ય નથી. સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે લાંબા સમય સુધી શારિરીક અંતર જરૂરી છે. જેથી વૈજ્ઞાનિકોએ વિશ્વના દેશોને 2022 સુધી સર્વેલન્સ અને શારિરીક અંતરનો અમલ કરાવવા માટે સલાહ આપી છે.
કોરોનાની રસી બનવામાં 18 મહિનાનો લાગી શકે છે સમય
ઇમ્પિરિયલ કોલેજ લંડનના પ્રોફેસર નીલ ફાર્ગ્યુસનના જણાવ્યા અનુસાર ચેપની ધીમી ગતિ માટે સામાજિક અંતર જેવા પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ છે રસી આવે ત્યાં સુધી મોટા પાયે સામાજિક અંતરની જરૂર રહેશે. કોલેજના અહેવાલમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે કોરોના વાયરસની રસી બનવામાં લગભગ 18 મહિનાનો સમય લાગી શકે છે.
શિયાળો આવતા ફરી વધી શકે છે કોરોનાનું પ્રમાણ
સાઉથહેમ્પ્ટન યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થના સંશોધનકાર માઇકલ હેડ કહે છે કે કોરોના વાયરસ વિશે કોઈ ધારણા કરવી મુશ્કેલ છે. આ એક સંપૂર્ણપણે નવો વાયરસ છે અને તેણે વિશ્વવ્યાપી રોગચાળાનું સ્વરૂપ લીધું છે. તેમણે કહ્યું કે, આવતા કેટલાક મહિનાઓમાં કોરોના વાયરસના ચેપના કેસોમાં ઘટાડો થઈ શકે છે. જો કે, શિયાળો આવતાની સાથે જ કોરોના વાયરસના કેસ ફરીથી વધી શકે છે કારણ કે તે સમયે ફ્લૂ પણ દસ્તક આપશે.