રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા RPI ના વડા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલે એ સોમવારે શિવસેના અને NCP ને પોતાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે શિવસેના એ ફરીથી ભાજપ સાથે હાથ મિલાવવો જોઈએ. જો શિવસેના અમારી સાથે નહીં આવે તો હું NCP ના પ્રમુખ શરદ પવારને રાજ્યના વિકાસ માટે NDA માં જોડાવા અપીલ કરું છું.
મહારાષ્ટ્રમાં રાંધઈ રહી છે રાજકીય ખિચડી
રાઉત - ફડણવીસ બાદ પવાર અને ઠાકરેની થઈ મુલાકાત
રામદાસ અઠાવલે એ કહ્યું, ભાજપ સાથે સરકાર બનાવી લો
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરદ પવારને ભવિષ્યમાં મોટું પદ મળી શકે છે. તેમણે કહ્યું કે જો NCP ના વડા શિવસેનાની સાથે રહેવાનું નક્કી કરે છે, તો તેનો કોઈ ફાયદો થવાનો નથી.
મહારાષ્ટ્રમાં વધી ગઈ રાજકીય ગતિવિધિઓ
શિવસેનાના નેતા સંજય રાઉત અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તેમ જ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ ની હાલની જ મુલાકાત બાદ મહારાષ્ટ્ર માં રાજકીય હલચલ વધી ગઈ છે. સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે હાલમાં જ થયેલી મુલાકાતને એટલે જ મહત્વની માનવામાં આવી રહી છે કે કારણ કે આ બાદના દિવસે NCP પ્રમુખ અને પ્રદેશના CM ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ હતી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે NCP અને કોંગ્રેસ સાથે મળીને રાજ્યમાં ગઠબંધન સરકાર ચલાવે છે.
કેન્દ્રીય મંત્રીએ ભાજપ સાથે સરકાર બનાવવાની આપી ઓફર
જો કે બીજી બાજુ RPI અધ્યક્ષ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ અઠાવલે એ આ મામલે પ્રતિક્રિયા આપીને મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ પેદા કરી દીધી છે. તેમણે ઈન્ટરવ્યૂ આપતી વખતે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના એ ભાજપ ની સાથે મળીને 50-50ના ફોર્મ્યુલા પર સરકાર બનાવી લેવી જોઈએ. તેમણે કહ્યું કે શિવસેના મહારાષ્ટ્ર ની મહત્વની પાર્ટી હતી પરંતુ NCP અને કોંગ્રેસ ની સાથે મળીને સરકાર બનાવી છે. આટલા દિવસો સુધી ત્રણ પક્ષોની સરકાર ચલાવવી મુશ્કેલ છે.
તે જ સમયે, રામદાસ અઠાવલે એ કહ્યું કે શિવસેના એ ભાજપ સાથે મળીને સરકાર બનાવવી જોઈએ અને દેવેન્દ્ર ફડણવીસ ને મુખ્યમંત્રી પદ આપવું જોઈએ. જ્યારે તે સવાલ પૂછવામાં આવ્યો કે શું તે સુશાંત સિંહ રાજપૂત ના મોતની તપાસને અસર કરશે નહીં, તો તેમણે કહ્યું કે ના, તેની તપાસ પર કોઈ અસર નહીં પડે.
ભાજપ સાથે શિવસેના ની 25 - 30 વર્ષો જૂની છે મિત્રતા : કેન્દ્રીય પ્રધાન
અઠાવલેના મત મુજબ શિવસેના અને ભાજપ વચ્ચે 25 - 30 વર્ષોની મિત્રતા રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું બંને પાર્ટીઓમાં બહુ મતભેદો પણ નથી, અને દેવેન્દ્ર ફડણવીસ વિપક્ષના નેતા છે અને ભાજપના નેતા પણ છે. તેમણે સંજય રાઉત ની સાથે મુલાકાત કરી છે, મને ખબર નથી કે બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ છે? પરંતુ હું વારંવાર કહું છું કે શિવસેના ને ફરીથી ભાજપ સાથે હાથ મેળવી લેવા જોઈએ.
બાળા સાહેબ ઠાકરેનું શિવશક્તિનું સ્વપ્ન જો પૂર્ણ કરવુ હશે તો શિવસેનાએ ભાજપ સાથે આવીને NCP નો સાથ છોડી દેવો જોઈએ. જો એવું થશે તો ભાજપ, શિવસેના અને RPI સાધ આવીને સરકાર બનાવી શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે શનિવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચેની બેઠક બાદ રાજકીય ગતિવિધિઓ તીવ્ બની છે. આ ગુપ્ત બેઠકથી NCP ના પ્રમુખ શરદ પવારને પણ આશ્ચર્ય થયું હતું અને રવિવારે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને મળવા પણ ગયા હતા. જો કે, બંને વચ્ચે શું બન્યું તે હજુ બહાર આવ્યું નથી.