ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે વડાપ્રધાન મોદીને ભારતનો સૌથી મોટો ખતરો ગણાવ્યો છે.
નંદીગ્રામમાં યોજાઈ કિસાન મહાપંચાયત
પીએમ મોદીથી દેશને સૌથી મોટો ખતરો-બલબીર સિંહ રાજેવાલે
આ સરકાર ફક્ત વોટ લેવાનું જ જાણે છે- રાજેવાલ
પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં કિસાન મહાપંચાયતમાં રાજેવાલેએ જણાવ્યું કે દેશને પાકિસ્તાન અથવા બીજા કોઈ દેશથી જેટલો ખતરો નથી તેટલો ખતરો વડાપ્રધાન મોદીથી છે.
રાજેવાલેએ મહાપંચાયતમાં જણાવ્યું, આજે અમને લાગું કે આ સરકાર ફક્ત વોટ લેવાનું જ જાણે છે. તેને વોટની ચોટ આપવી જોઈએ. તમારે જેને વોટ આપવો હોય તેને આપો પણ મોદીને તો ન જ આપતા. આજે મોદી દેશ માટે સૌથી મોટો ખતરો છે. આપણને જેટલો ખતરો પાકિસ્તાનથી નથી તેટલો ખતરો મોદીથી છે.
ઘણા લાંબા સમયથી ખેડૂત સંગઠનો નવા કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધીની સરકારની તરફથી પોતાની માંગ પર કોઈ પ્રકારના સકારાત્મક જવાબ ન આવવાના કારણે ખેડૂતોએ પ.બંગાળની તરફનું વલણ અપનાવ્યું છે. મળતી માહિતી અનુસાર આજે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત પ.બંગાળ જશે અને સાથે અહીં નંદીગ્રામમાં કિસાન પંચાયતમાં સામેલ થશે.
આજે નંદીગ્રામ આવશે કિસાન નેતા રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકાર આજકાલ પ.બંગાળ જઈ રહી છે. અમે અહીં સરકારને મળીશું. અમે 13 માર્ચે બંગાળ જઈ રહ્યા છીએ અને સાથે ખેડૂતો સાથે વાત કરીશું કે એમએસપી પર ખરીદી થઈ રહી છે કે નહીં. તેમને શું તકલીફ છે આ મુદ્દે ચર્ચાઓ કરીશું.