સુપ્રીમ કોર્ટે CPMના મહાસચિવ સીતારામ યેચૂરીને જમ્મૂ-કાશ્મીરમાં પાર્ટીના નેતા તેવા તેમના મિત્રને મળવા જવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પર સીતારામ યેચૂરીએ જમ્મૂ-કાશ્મીર જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને શ્રીનગર એરપોર્ટથી પરત મોકલવામાં આવ્યાં હતા.
આ અગાઉ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ના મહાસચિવ સીતારામ યેચૂરી અને ભાકપાના ડી રાજા જમ્મૂ-કાશ્મીર ગયા હતા અને તેમની એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. આ અંગેની જાણકારી CPI(M)ના ટવિટરથી માધ્યમથી આપી હતી.
સીતારામ યેચૂરી રાજ્યમાં તેમના મિત્ર એવા પાર્ટીના કાર્યકરના પરિવારને મળવા જમ્મૂ-કાશ્મીર પહોંચ્યા હતા. યેચૂરી અને ડી રાજાએ જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને પત્ર લખી આ મુલાકાત અંગેની જાણકારી આપી હતી.
જો કે સીતારામ યેચૂરીને શ્રીનગર એરપોર્ટ પર અટકાયત કરી રાખવામાં આવ્યા હતા તેમને બહાર જવાની મંજૂરી આપવામાં આવી નહોતી. જો કે તેઓ સીપીઆઇએમના ધારાસભ્ય તારિગામીને મળવા જશે જેમની તબિયત ખરાબ છે.
સુપ્રીમ કોર્ટેમાં કરવામાં આવેલી એક અરજી પર સીતારામ યેચૂરીને શ્રીનગર જવાની મંજૂરી આપી છે. સીતારામ યેચૂરએ પોતાના ધારાસભ્ય એમવાઈ તરિગામીને મળવા માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માગી હતી.
Supreme Court said that the visit of Sitaram Yechury should only be to meet party leader Yousuf Tarigami as a friend, and not for any political purpose. https://t.co/mAM0SBAQAD
જે મામલે CJIએ કહ્યું કે અમે તમને તમારા મિત્રને મળવા માટે મંજૂરી આપીશું. પરંતુ આ દરમિયાન તમે અન્ય કોઈ કામ નહીં કરી શકો. ચીફ જસ્ટીસે કહ્યું કે સરકાર તેમને કેમ રોકી રહી છે. એ દેશના એક નાગરિક છે. જો તેમના મિત્રને મળવા માગતા હોય તો મળી શકે છે. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુલાકાત દરમિયાન રાજકારણ ન થવું જોઈએ.